સ્થાયી સમિતિ સમક્ષ મ્યુનિ. કમિશનરે રજૂ કર્યો પ્રસ્તાવ : કરવેરામાં 37.65 કરોડનો કરબોજ 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦૧૯-ર૦ર૦ નું રૃપિયા ૬રપ કરોડ ૪૦ લાખનું વાર્ષિક અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર આર.બી. બારડ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૭ કરોડ ૬પ લાખનો કુલ વેરા વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં ફક્ત મિલકત વેરામાં રૃપિયા ૩૦ કરોડના વધારાની રકમનો સમાવેશ થાય છે. ઉપરાંત સોલીડ વેસ્ટ કલેક્શન  ચાર્જ, વ્હિકલ ટેક્સ, વોટર ચાર્જ અને ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જનો સમાવેશ થાય છે. આ અંદાજપત્રમાં વર્ષાન્તે રૃપિયા ૧પ૬ કરોડ ૮૬ લાખની પૂરાંત દર્શાવાઈ છે. આગામી વર્ષમાં પાણી પાઈપલાઈન નેટવર્ક, ભૂગર્ભ ગટર, આરોગ્ય, ઓવરબ્રિજ સહિતના અનેક નવા કામો પણ સૂચવાયા છે. હવે આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ બજેટમાં સુધારા વધારા કર્યા પછી સામાન્ય સભાની મંજુરી માટે મોકલવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સમિતિના સભ્યો, અધિકારીઓ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર આર.બી. બારડે વર્ષ ર૦૧૯-ર૦ નું રૃપિયા ૬રપ કરોડ ૪૦ લાખના ખર્ચવાળું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં સ્વભંડોળનું ખર્ચ ર૪૦૯ લાખ ૪ર હજાર, ગ્રાન્ટ ખર્ચ ૩૦ કરોડ ર૯ લાખ, કેપિટલ ભંડોળ ખર્ચ ૧પ કરોડ ૬૯ લાખ, કેપિટલ ગ્રાન્ટ ખર્ચ ર૭૩ કરોડ ૩૦ લાખ, અનામત ખર્ચ પર કરોડ ૦૭ લાખ અને એડવાન્સ ખર્ચ રૃપિયા ૧૩ કરોડ ૬૪ લાખ મળી કુલ ૬રપ કરોડ ૪૦ લાખ ખર્ચનો સમાવેશ થાય છે.
તેની સામે વર્ષ ર૦૧૯-ર૦ માં આવકના આંકડા જોઈએ તો ઉઘડતી પૂરાંત ૧પ૩ કરોડ ૯૬ લાખ, સ્વભંડોળની આવક ૧૯૮ કરોડ ૪૬ લાખ, ગ્રાન્ટ આવક ૮૧ કરોડ ૧પ લાખ, કેપિટલ ભંડોળ આવક ૩૮ કરોડ ૬પ લાખ, કેપિટલ ગ્રાન્ટ આવક રૃા. ર૪૩ કરોડ ૬૦ લાખ, અનામત આવક રૃા. પ૩ કરોડ ૧૦ લાખ, અને એડવાન્સ આવક રૃા. ૧૩ કરોડ ૩૪ લાખ મળી કુલ ૬ર૮ કરોડ ૩૦ લાખનો સમાવેશ થાય છે.
આથી ઉઘડતી સીલક કુલ ૭૮ર કરોડ ર૬ લાખની આવકનો અને ખર્ચ બાદ કરતા ૧પ૬ કરોડ ૮૬ લાખની પુરાંત દર્શાવાઈ છે.
મ્યુનિ. કમિશ્નર દ્વારા કરદરમાં વધારો સૂચવવામાં આવશે. જેમાં મિલકત વેરામાં રપ ચો.મી. માટે હાલના દર રૃા. ર૦૦ છે તેમાં વધારો કરી ૩૮૦ સૂચવવામાં આવ્યો છે. તેવી જ રીતે રપ થી ૩૦ ચો.મી. માટે રપ૦ ના બદલે ૪૮૦, ૩૦ થી ૪૦ ચો.મી. સુધીની મિલકત વેરાનો દર ૩૦૦ના સ્થાને ૬૪૦ અને ૪૦ થી ચો.મી. પ૦ ચો.મી. માટે ૪૦૦ ના બદલે પરિણામલક્ષી દર મુજબ વધારો સૂચવાયો છે.
તેવી જ રીતે ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. તેમાં રેસીડેન્ટ વિસ્તારોમાં હાલમાં વસુલવામાં આવતા ૭૦૦ ના સ્થાને ૧૦૦૦ સૂચવાયો છે. તથા નોન રેસીડેન્ટ માટે હાલના ૧પ૦૦ ના દર સામે ૧૮૦૦ વસુલવાનું સૂચન કરવામાં આવ્યું છે.
પાણી વેરા દરમાં પણ કમિશ્નર દ્વારા વધારો સૂચવાયો છે. જેમાં મીટર વગરના નળ કનેકશનના હાલમાં વસુલવામાં આવતા ૧૦પ૦ ના સ્થાને ૧ર૦૦ સૂચવાયા છે. એટલે કે, ૧પ૦ નો વધારો સૂચવાયો છે. જ્યારે સ્લમ વિસ્તારમાં ૪૦૦ ના સ્થાને ૬૦૦ નો દર વસુલવા સૂચન કરવામાં આવ્યું છે.
સફાઈ કામગીરી પાછળ થતા તોતીંગ ખર્ચને પહોંચી વળવા સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં વધારો સુચવાયો છે. તેમાં રહેણાંક વિસ્તારમાં હાલના દર પ્રતિ માસ ર૦ છે તેના બદલે રૃા. ૩૩, બિન રહેણાંક માટે ૩૦ ના સ્થાને પ૦ અને ઈન્ડસ્ટ્રીયલ માટે પ૦ ના સ્થાને ૮૩ વસુલવામાં સૂચન કરાયું છે.
આમ કરદરમાં વધારાથી રૃા. ૩૭ કરોડ ૬પ લાખની આવકનો વધારો થશે. આ ૩૭ કરોડ માંથી ૩૦ કરોડનો વધારો ફક્ત મિલકત વેરામાં સૂચવાયો છે.

રૃપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે...?
જેમાં ટેક્સની આવક રપ પૈસા, ટેક્સ વગરની આવક ૩પ પૈસા, એજ્યુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષ આવક પ પૈસા, ઓક્ટ્રોય ગ્રાસ આવક ૧૪ પૈસા અન્ય ગ્રાન્ટ આવક ૧પ પૈસા તેમજ અન્ય આવક ૬ પૈસા મળી ૧૦૦ પૈસા થાય છે. તેની સામે એસ્ટા ખર્ચ (સ્ટાફ) ર૯ પૈસા, એસ્ટા ખર્ચ (સફાઈ) ર૬ પૈસા, એસ્ટા ખર્ચ (જેએમસી) ર પૈસા વહીવટી ખર્ચ એક પૈસો, મરામત નિભાવ ખર્ચ ૧પ પૈસા, રેવન્યુ ગ્રાન્ટ ખર્ચ ૧૧ પૈસા, એજ્યુ શેષ, લેબર વેલ્ફેર શેષ સરકારમાં જમા ૪ પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ પ પૈસા.
પરચુરણ ખર્ચ ૫ પૈસા અને કેપીટલ યાને ટ્રાન્સફર ૨ પૈસા મળી ૧૦૦ પૈસા ખર્ચ થશે. જામનગર મહાનગરપાલિકાએ રાજ્ય, કેન્દ્ર સરકાર વિકલ્પ બેંક વગેરે પાસેથી મેળવેલી લોન માટે ૨૭૬૯ લાખની લોન મેળવેલ છે. આ લોન ઉપરાંત વ્યાજ સહિત કુલ ૮૪૦૨ લાખની રકમ ચૂકવવાની બાકી છે. આ ઉપરાંત અન્ય આબકારીઓ મળી કુલ ૪૪૯૯૨ લાખની જવાબદારી મહાનગરપાલિકાની છે.
તેની સામે જામનગર મહાનગરપાલિકાનું રૃા. ૩૬,૩૦૩ લાખનું લેણું બાકી છે. તેમાં વ્યવસાય વેરો, વોર્ટર ચાર્જ, મિલકત વેરો, ભૂગર્ભ ગટર વગેરેનો સમાવેશ થાય છે. જામનગર મહાનગર પાલિકાના તમામ વોર્ડમાં મિલકત વેરાની કુલ ૨૪૫ કરોડની રકમ વસુલવાની બાકી છે. તો વોટર ચાર્જની ૮૫ કરોડની વસુલાત બાકી છે.
જામનગર મહાનગરપાલિકાનું દેવું જોઈએ તો માથા દીઠ રૃા. ૭૪૯૪ (વર્ષ-૨૦૧૭) નું છે. તેની સામે વર્ષ ૨૦૧૯-૨૦ માં માથા દીઠ આવક ૪૫૯૩ દર્શાવાઈ છે. ગતવર્ષમાં મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા જેમાં અમૃત યોજના અન્વયે આજી-૩ થી પાઈપલાઈન મારફત ખીજડીયા સુધી પાણી લાવવામાં આવ્યું છે. પરિણામે નર્મદાના પાણીનો તોતીંગ ખર્ચમાં રાહત મળશે.
એરફોર્સ માટે રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાનું આયોજન છે. જે આગામી ટુંક સમયમાં કામ શરૃ થશે. ફાયર ટર્મીનલનું કામ ચાલી રહ્યું છે. જે આગામી સમયમાં પૂર્ણ થતા લોકાર્પણ કરવામાં આવશે.
ચાલુ વર્ષમાં ૬૪,૯૬૬ ચો. મી જમીનનું દબાણ ખાલી કરાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભૂગર્ભગટર અને પાણીની પાઈપ લાઈનના નેટવર્કના કામો કરવામાં આવનાર છે. જેથી નવા વિસ્તારોને લાભ મળશે. હવે આ અંદાજપત્રમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુધારા વધારા કરી આખરી મંજુરી માટે સામાન્ય સભા તરફ મોકલી આપવામાં આવશે.

પ્રત્યેક જામનગરવાસીઓ ઉપર રૂ. 7494 નું દેવું...!
જામનગર શહેરમાં લોકો જન્મશે એટલે દેવું લઈને જન્મશે, ત્યારે આવક રૂ. 4593 છે, જેની સામે માથાદીઠ દેવું રૂ. 7494 છે, આમ 2901 રૂ. નું દેવું વધી ગયું છે, 2016માં માથાદીઠ દેવું રૂ. 6442, 2015માં દેવું 5891 હતું, જયારે 2017-18માં રૂ. 3133ની આવક હતી, જયારે 2018-19માં 4150નું દેવું હતું અને હવે 2019-20માં આ આવક વધીને 4593 એ પહોંચી છે.