સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા અધિનિયમ, 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે.

નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા અધિનિયમ, 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના માર્ચના ચુકાદાને બિનઅસરકારક બનાવવા માટે અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) કાયદાની પહેલાની સ્થિતિને બહાલ કરવા માટે તેમાં કરવામાં આવેલા સુધારાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) કાયદામાં સંસદના ચોમાસુ સત્રમાં સુધારા કરીને તેની પહેલાની સ્થિતિ બહાલ કરવામાં આવી છે.