જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને કલર કામ કરતા એક શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના પાઈપમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે આર્થિક ભીંસના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસે તારણ કાઢ્યું છે.
મળતી વિગત મુજબ જામનગરમાં વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને કલર કામની મજુરી કરતા મુળ ઉત્તરપ્રદેશના વતની સુનિલ યરફે ચાચુ ભગવાનદિલ રાઠોડ નામના 40 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. મૃતક મજુરી કામ કરતો હતો અને પોતાના વતનમાં પૈસા મોકલવાના હતા પરંતુ સગવડ નહીં હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું અનુમાન લગાવાયું છે. મૃતક અપરણિત હતો અને એકલવાયું જીવન જીવતો હતો. સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.