જામનગર મોર્નિંગ - જામનગર
લોકસભાની
ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરમાં રોડ-શો કરશે.
રોડ-શો દરમિયાન જીવલેણ હુમલો થવાની હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે.
જેને લઈને હાર્દિક પટેલે જામનગરમાં સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસને પત્ર લખીને
જાણ કરી છે.
રોડ-શો અને જાહેર સભામાં સુરક્ષા આપવા મામલે હાર્દિક
પટેલે SPને પત્ર લખ્યો છે. મહત્વનુ છે કે, આ પહેલા સુરેન્દ્રનગરમાં
હાર્દિક પટેલને અજાણ્યા શખ્સે સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો.
ત્યાર
બાદ શનિવારે અમદાવાદના નિકોલમાં હાર્દિકની સભામાં હોબાળો થયો હતો. ત્યારે
આજે હાર્દિક પટેલની જામનગરમાં સભા યોજાવવાની છે. આ સભામાં પણ અજાણ્યા શખ્સો
હુમલો કરે તેવી હાર્દિકે આશંકા વ્યક્ત કરી છે.