• ચારો ભરેલ ટ્રકમાં વીજ વાઇર અડકી જતા આગ લાગી હોવાથી ચારો બળીને ખાખ થયો


(રામ મોઢવાડીયા) પોરબંદર તા.15 : પોરબંદરના આંબારાંબાથી ચંદ્રાવાડા તરફ જતા રોડ પર ટ્રકમાં ભરેલ ચારામાં આગ ભભૂકી હતી. ચારો ભરેલ ટ્રકમાં વીજ વાઇર અડકી જતા આગ લાગી હોવાથી ચારો બળીને ખાખ થયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.
પોરબંદરના આંબારાંબા થી ચંદ્રાવાડા રોડ પર ચારો ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો. પશુઓ માટે ચારો ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઈલેક્ટ્રીક વાયરમાં ટ્રકમાં ભરેલો ઘાસચારો અટકી ગયો હતો. માર્ગ પરથી ઈલેક્ટ્રીક વાયરીંગમાં ઘાસચારો ભરેલ ટ્રક અટકી ગયો હોય અને વાયર અથડાતા વાયર માંથી આગ ભભૂકી હતી. આમ અકસ્માત સર્જાયો હોવાના કારણે આગ લાગી ગઈ હતી અને ટ્રકમાં ભરેલો ચારો ડ્રાઇવરએ ટ્રક ઉલળ્યો કરી ઠાલવી નાખ્યો હતો. જેથી ટ્રકમાં આગ લાગી ન હતી અને ડ્રાઇવરનો પણ આબાદ બચાવ થયો હતો. પરંતુ ચારામાં આગ લાગતા ચારો બળીને ખાખ થઇ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થયા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હોવાના કારણે આગ પર કાબુ મેળવાયો ન હતો. આગ લાગેલ ચારો રોડ પર જ ઢગલા બનીને સળગી ગયો હતો  સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.