જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી કતરા(જમ્મુ)માં લોકડાઉન ના કારણે ફસાયેલા જામનગરના યાત્રીકોમાંના બીજા ગૃપના સભ્યો ગત  મંગળવારે રાત્રે જામનગર પરત આવી પહોંચ્યા છે જેથી સૌ એ હાશકારો અનુભવ્યો છે. આ અંગે સાંસદ પૂનમબેન માડમ એ વિશેષપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સૌ યાત્રીકોએ તેમના માટે સઘન પ્રયાસો કરી સફળ જહેમત ઉઠાવવા માટે સાંસદ પૂનમબેન માડમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર-રાજકોટ-વડોદરા સહિતના શહેરોમાંથી તેમજ રાજસ્થાન ના યાત્રીકો જમ્મુ સહિતના જુદા જુદા  સ્થળોએ  સૌ  યાત્રા-પ્રવાસે ગયા હતા અને જમ્મુ માં લોકડાઉન ના કારણે ફસાયા હતા ત્યાંથી યાત્રીકોએ સંસદસભ્ય પૂનમબેન માડમ નો સંપર્ક કર્યો અને પરત આવવા મદદ માંગી હતી આ બાબતની ગંભીરતા લઇ સાંસદ પૂનમબેન માડમ એ યાત્રીકોની વિગતો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહને રજુઆત કરી તમામ યાત્રીકો જામનગર સહિત ના  તેમના   વતન  પરત આવી શકે તે માટે જરૂરી પરમીશન આપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી ભાર પુર્વકની માંગણી કરી હતી જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એ જરૂરી કાર્યવાહીઓ અને હુકમો કરતા કતરા(જમ્મુ) ના સતાવાળાઓએ જરૂરી પરમીશન ની પ્રક્રિયા કરી હતી અને જામનગર સહિતના શહેરોના  જુદા જુદા યાત્રીકોનું આ બીજુ ગૃપ પરત પોતાને શહેર પહોંચી શક્યા છે.
પરત ફરેલા જામનગરના  યાત્રીકો  ના આ બીજા  ગૃપના સભ્યો સહિતના યાત્રીકો જેઓ કતરા(જમ્મુ)માં  ફસાયા હતા તેમાં  જીતેન્દ્રભાઇ પરમાર, ઉર્મિલાબેન પરમાર, અભય પરમાર, ભાવિક પરમાર, મયુરી ગોંસાઇ, સતીષ ગોંસાઇ તેમજ રાજકોટ અને વડોદરાના યાત્રીકો નો સમાવેશ થાય છે.
 જામનગરના આ યાત્રીકોનું જમ્મુથી બીજુ  ગૃપ  હેમખેમ પરત ફરતા તેમને  સૌ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,ગૃહમંત્રી અમીતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ પાણીજી અને સંસદસભ્ય પૂનમબેન માડમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
મંગળવારે   રાત્રે જામનગરના આ તમામ કતરા(જમ્મુ)માં લોકડાઉનમાં ફસાયેલા યાત્રીકોના બીજા  ગૃપના આ  સભ્યો  જામનગર પહોંચતા તેમના સૌ ના ઉતારા સહિતની જરૂરી  તેમજ બાદમાં તબીબી પરીક્ષણ ની કાર્યવાહીઓ જિલ્લા વહીવટીતંત્ર,જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમરસ હોસ્ટેલ -ઠેબા ચોકડી ના સ્થળે હાથ ધરી હતી તેમજ નિયમાનુસારની આગળની પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.