જામનગર મોર્નિંગ - જામનગર
જામજોધપુરના જામવાડી ગામના એક યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી મંગળવારે આત્મહત્યા કરી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં વણકર વાસમાં રહેતાં ભરતભાઈ નાનજીભાઈ ચાવડા નામના બાવીસ વર્ષના યુવાનને દસેક વર્ષથી માનસિક બીમારી લાગુ પડી હતી જેની સારવાર અપાવવામાં આવી રહી હતી. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોય કંટાળી ગયેલા ભરતભાઈએ મંગળવારે બપોરે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસે મૃતકના માતા જાનુબેન ચાવડાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment