જામનગર મોર્નિંગ - ખંભાળિયા

કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતા મારખીભાઈ કરશનભાઈ કેશુભાઈ વારોતરીયા નામના 42 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની દિવાલ પાસે ગાંજાનું વાવેતર કરવામાં આવતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

     જેમાં આરોપી મારખી કરશનભાઈ વારોતરીયા દ્વારા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા 18,500 ની કિંમતના 1.850 કિલોગ્રામ ગાંજાના છોડ તથા રૂપિયા 9330 ની કિંમતના 933 ગ્રામ સૂકા ગાંજા સહિત કુલ રૂપિયા 27,830 નો મુદ્દામાલ કબજે કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. વી.આર. શુકલાને સોંપવામાં આવી છે.