જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળીયામાં જીલ્લા સેવા સદનની પાછળ આવેલ કાળા પથ્થરની જૂની ખાણોમાં હાલ પાણી ભરાયેલ છે જે ખાણમાં 30 વર્ષીય શ્રમિક યુવક ગઈકાલે સાંજે 5-6 વાગ્યાં આસપાસ ન્હાવા પડ્યો અને ડૂબી ગયો હોવાની પરિવારજનોએ માહિતી આપતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે આવીને શોધખોળ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નાથાભાઈ માધાભાઇ પરમાર ઉ. વ. આશરે 30 જે મૂળ રાણાવાવના અને હાલ ખંભાળીયા જીલ્લા સેવા સદન પાછળના ભાગમાં ખાણ નજીક આવેલ ઝુંપ્પડપટ્ટીમાં તેમના સાસરિયા રહેતા હોય ત્યાં મજૂરી કામ કરવા માટે રહેવા આવેલ હતો અને ગઈકાલે સાંજના ૫-૬ વાગ્યાં આસપાસ ત્યાં બાજુમાં આવેલ ખાણમાં પાણી ભરાયેલ હોય જેમાં પોતે ન્હાવા માટે ગયા હતા અને ઘણો સમય થવા છતાં પરત ના આવતા પરિવારજનો સબંધીએ તપાસ કરતાં ખાણ કાંઠે તેમના ચંપલ અને કપડાં પડ્યા હતા પણ નાથાભાઈ ક્યાય દેખાતા ના હતા તેમને તરતા પણ આવડતુ ના હોય જેથી પાણીમાં ડૂબ્યા હોવાની આશંકાના આધારે પરિવારજનોએ પોલીસમાં જાણ કરતાં ફાયર વિભાગે આવીને રાત્રી સુધી શોધખોળ હાથ ધરી હતી પણ કઈ પત્તો લાગ્યો નહી બાદમાં ફરી આજે સવારથી શોધખોળ કરતા તેમનો મૃતદેહ પાણીની ખાણ માંથી મળી આવ્યો હતો મૃતક નાથાભાઈને ૨ દીકરી અને ૨ દીકરા ચાર નાના બાળકો છે જેમના પરથી પિતાની છત્રછાયા હટી ગઈ છે. નાથાભાઈના મરણના બનાવથી ત્યાં ઝૂપડપટ્ટીમાં રહેતા શ્રમિકોમાં રુદનના આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.