જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ અંધાશ્રમ પાસે આવાસ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ  ડેલુએ પ્રોહી જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા અને એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે યુવરાજસિંહ જાડેજા અને હરદીપભાઈ બારડને મળેલ બાતમીના આધારે અંધાશ્રમ પાસે આવેલ આવાસ કોલોનીમાં લાઈટના અંજવાળે જુગાર રમતા સુનીલ રામસિંગ કુશવાહ, ભોલા સુખાટી ચૌધરી, પવન જુગલ ડાકુર, સોભરાજસિંગ રામચરણસિંગ તોમર, લાલદાસ જેન્તીલાલ દાણીધારીયા અને રાજુ ગોરખ ગોડ નામના છ શખ્સને રૂ. 12000ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.