જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત) 

ભાવનગર જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી તાત્કાલિક વ્યાજખોરી કરતા ચાર શખ્સોને એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગત મુજબ ગુજરાત રાજય સરકારનાં ગૃહ વિભાગ તરફથી સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતિ લાવવાનાં હેતુથી સમગ્ર રાજયમાં જાહેર લોક દરબાર/જાહેર લોક સંવાદનું આયોજન કરવા તમામ જિલ્લાઓમાં સુચનાઓ કરવામાં આવેલ.જે સુચના અન્વયે આજરોજ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારની ભાવનગર રેન્જ, ભાવનગર અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્રારા ભાવનગર, પોલીસ હેડ કવાટર્સ ખાતે જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાહેર લોક સંવાદમાં ભાવનગર શહેરગ્રામ્યમાંથી જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રજાને વ્યાજખોરો સામે કોઇ પણ પ્રકારનાં ડર કે શેર શરમ વગર આગળ આવી ફરિયાદ કરવા ખાતરી આપવામાં આવેલ.જે અંતર્ગત મુજબનાં પ્રજાજનોએ તેઓ સાથે વ્યાજખોરો દ્રારા કરવામાં આવતાં અમાનવીય કૃત્ય અંગે રજુઆત કરવામાં આવેલ. જે અંગે તાત્કાલિક ફરિયાદીઓની ફરિયાદો લઇને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ,પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં સ્ટાફ અને એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફ તથા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને જેતુભાઇ દડુભાઇ દેસાઇ (ઉ.વ.૩૫),આલીંગભાઇ ભગુભાઇ હરકટ (ઉ.વ. ૫૫), સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ (ઉ.વ.૩૬), રણજીતભાઇ ભાવસંગભાઇ પરમાર (ઉ.વ.૩૦) ને પકડી પાડી તેઓ પાસે ફરિયાદીઓનાં લેવામાં આવેલ ચેક, લખાણ વિગેરે દસ્તાવેજો મેળવવા માટે સુચના આપવામાં આવી છે.