ખીમેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ

મોર્નિંગ - પોરબંદર 
પાંડવો દ્વારા દેશ ભ્રમણ કરતી વેળાએ પોરબંદરના કુછડી ગામે પાંડવો પૈકીના ભીમ દ્વારા જે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી તે ખીમેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા યજ્ઞ, ધ્વજારોહણ અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યો હતું. યજ્ઞમાં યજમાન પદે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને નવઘણભાઈ રાતીયા બેઠા હતા.
દેશમાં ભાજપની સરકાર બને અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દેશની સુકાન સંભાળે તે હેતુથી આ યજ્ઞનું આયોજન ભાજપ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ યજ્ઞમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહીત જીલ્લા ભાજપ અને નરેન્દ્ર મોદી વિચાર મંચના આગેવાનો સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.