- ખંભાળીયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રૂપિયા ૩૬ લાખને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે શાકમાર્કેટ બનાવી હતી જે શાકમાર્કેટ તૈયાર થયાના ૭ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાય હજુ સુધી શાક માર્કેટના તાળા જ ખુલ્યા નથી.
જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૨૭ : મેટ્રો શહેરોની જેમ હવે ખોબા જેવડા ખંભાળીયામાં
પણ ટ્રાફિક માજા મૂકી રહ્યો છે. ઠેર – ઠેર રોડ રસ્તાઓ પર દબાણ , પાથરણા વાળા અને
શાકભાજી વાળા ધંધા માટે બેઠા હોય છે. શાકભાજીના ધંધાર્થીઓને રોડ રસ્તાઓ પર ઠેર –
ઠેર ધંધા માટે છુટા છવાયા ના રખડવું પડે અને નગરજનોને પણ એકજ જગ્યાએથી શાકભાજી મળી
રહે તેવા હેતુથી વર્ષ ૨૦૧૩માં ખંભાળીયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા
દ્વારા રૂપિયા ૩૬ લાખને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે શાકમાર્કેટ બનાવી હતી જે
શાકમાર્કેટ તૈયાર થયાના ૭ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાય હજુ સુધી શાક માર્કેટના
તાળા જ ખુલ્યા નથી નવીનકોર શાક માર્કેટ બની ત્યારથી બંધ પડી છે. શાકભાજી ધંધાર્થીઓને
રોડ રસ્તા અને શેરીઓમાં રજળપાટ કરવો પડે છે.
નગરજનોની સુવિધા અને ધંધાર્થીઓના સુખાકારીમાટે બનાવાયેલ આ માર્કેટનું હવે
જો લોકાર્પણ થાય તો ગામમાં જૂની શાક માર્કેટ જવામાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો
પડે છે તેમાં પણ રાહત મળી શકે અને નગરજનો વેપારીઓને સુવિધા મળી શકે તેમ છે.
0 Comments
Post a Comment