જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર એસઓજી દ્વારા વચગાળાના જામીન પર નાસતા ફરતા આરોપીને અંબર સર્કલ બાવરીવાસ પાસેથી ઝડપી લઈ સીટી બી ડીવીઝન પોલીસને સોંપી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા જેલના કાચા કામના આરોપી નં. 898/2020 તથા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.નં. 0270/2020 પ્રોહી કલમ 66(1)બી, 85-1 મુજબના કામનો આરોપી મનસુખભાઈ ઉર્ફે ભીમો જ્યંતીભાઈ પધરેશા  (રહે. છત્તર પાંચદેવળા, તા. કાલાવડ) નામનો શખ્સ વચગાળાના જામીન પરથી ફરાર હોય અને જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના સંદીપભાઈ ચુડાસમા, રમેશભાઈ ચાવડા અને મયુદીનભાઈ સૈયદને ખાનગી રાહે બાતમી મળેલ તેના આધારે વોચ ગોઠવી જામનગરના અંબર સર્કલ બાવરીવાસ પાસેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે સીટી બી ડીવીઝન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આ કાર્યવાહી પી.આઈ. એસ.એસ. નિનામા, પી.એસ.આઈ. આર.વી. વીંછી તથા વી.કે. ગઢવી તથા સ્ટાફના સંદીપભાઈ ચુડાસમા, રમેશભાઈ ચાવડા અને મયુદીનભાઈ સૈયદ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.