જામનગર મોર્નિંગ - જામનગર તા.20 : ગુજરાતમાં તાલુકા જીલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગર પાલિકાઓની આગામી માસમાં ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે મતદારોને આકર્ષવા પોતાની વાત મુકવા માટેની તડામાર તૈયારીઓ આદરી દીધી છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવ જેટલાં નિરીક્ષકોની નિમણુંક કરી છે.
જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ જેબલીયા, બૌદ્ધિક સેલ પ્રદેશ કન્વીનર જયેશભાઇ વ્યાસ, અનુજાતી મોરચા પ્રદેશ મહામન્ત્રી ગૌતમભાઈ ગેડીયા, ભાવનગરના પૂર્વ મેયર સુરેશભાઈ ધાધલીયા, પૂર્વ પ્રદેશ ઉપ્રમુખ જશુમતીબેન કોરાટ,પ્રદેશ કારોબારી સભ્ય આરતીબેન જોષી અને જ્યોતિબેન વાછાણીની નિમણુંક કરાઈ છે.
0 Comments
Post a Comment