• મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર સ્થળ પર વ્યવસ્થા ગોઠવાઇ: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર યુવા વર્ગ ને જ વેક્સિન અપાશે.

જામનગર તા. ૨, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના યુવા વર્ગ માટે ૧લી મેથી વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. જ્યારે ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો માટે પણ વેક્સિનેશન નો કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે. જે બંને વર્ગ માટે વેકસિન આપવા માટેની અલગ-અલગ ૧૫ સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત યુવાવર્ગે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેઓનેજ વેકસિન નો પ્રથમ ડોઝ અપાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા ૧૫ સ્થળોએ ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો માટે વેકસિનેશન નો કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે, અને પ્રથમ ડોઝ અથવા તો બીજો ડોઝ મેળવવાનો હોય તેવા નાગરિક માટેની ૩ મેથી અલગ-અલગ ૧૫ સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને સવારે નવ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વેકસિનેશન કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવશે. 

આ ઉપરાંત ૧૮ વર્ષથી ૪૪ વર્ષ ની વયના નાગરિકો કે જેઓએ પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લીધું હશે, તેવા જ નાગરિકોને અલગ-અલગ ૧૫ સેન્ટર પરથી વેક્સિન ના પ્રથમ ડોઝ આપવામાં આવશે. સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે, અને અગાઉથી ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવી લીધી હશે, તેવા યુવા વર્ગને જ માત્ર વેક્સિન ના ડોઝ અપાસે અને ૯.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવશે, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.