જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


ક્રિકેટ વિશ્વમાં તો જામનગર વિશ્વ પ્રસિદ્ધ છે જ ત્યારે હવે અવકાશ વિજ્ઞાન સાથે પણ જામનગરનો નાતો જોડાયો છે કેમકે જામનગર નો બ્રાસ ઉદ્યોગ એશીયા ભરમાં પ્રચલીત છે કેમકે ૫૦૦૦ કારખાના અને ૨૦૦૦ કરોડ નુ ટર્ન ઓવર છે ત્યારે આ મહત્વ સાથે જ ડીઆરડીઓના અતિ મહત્વાકાંક્ષી ચંદ્રયાન બે અને જામનગર વચ્ચે સબંધ છે. માનવામાં નહિ આવે પણ સાચી વાત છે જે માનવ રહિત યાન અવકાશમાં મોકલવાનું છે તેમાં જામનગરની એક ફેક્ટરીએ યોગદાન આપ્યું છે આ યાન બનાવવામાં ઉપયોગ લેવામાં આવેલ મશીનરીનો અમુક ભાગ અહીં બનીને હૈદરાબાદ પહોચી ગયો છે ચંદ્રયાન મિશનમાં જામનગર કેવી રીતે મદદ કરશે ડીઆરડીઓને? 


ભારતની અતિ મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનની બીજા તબ્બકાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે ભારતીય અંતરીક્ષ સંસ્થા ડીઆરડીઓ દ્વારા આવતા વર્ષે આ મિશન લોન્ચ કરવામાં આવશે, ચંદ્રયાન બે મિસનને લઈને દેશની અવકાસ સંશોધન સંસ્થા જ નહી પણ સમગ્ર વિશ્વ ભારત તરફ નજર કરીને બેઠો છે પ્રથમ મિશનમાં લેન્ડીંગ સમસ્યા થવાના કારણે મિશનમાં અડચણ આવી પરંતુ આ વખતે કોઈ કચાસ  ન રહી જાય તેની તકેદારી સાથે દેશની સર્વોચ્ચ અવકાશ પ્રોગ્રામ સંભાળતી સંસ્થા દ્વારા ચંદ્રયાન બે મિશનની તૈયારીઓ શરુ કરી છે, ભારત માનવ રહિત ચંદ્રયાનને અવકાશમાં મોકલી નવો કીર્તિમાન સ્થાપશે, દેશના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે જામનગરનું નામ પણ ઉમેરાયું છે, ચંદ્રયાન બે મિશનમાં અતિ ઉપયોગી એવી મશીનરી જામનગરમાં બનાવવામાં આવી છે.


ક્રિકેટ અને બ્રાસ ઉદ્યોગમાં વિશ્વ સ્તરે ખ્યાતી મેળવ્યા બાદ અવકાશ મિશનમાં પણ જામનગરનું નામ જોડાયું  છે, જામનગરના જ  એક ખાનગી એકમે અવકાશ સંશોધન સંભાળતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડીઆરડીઓ સાથે હાથ મિલાવ્યા છે, જામનગરની ગીતા એન્જીનીયરીગ સંસ્થાએ ડીઆરડીઓના મિશન ચંદ્રયાન બેમાં યોગદાન આપ્યું છે, જામનગરના આ એકમ દ્વારા મિશનમાં અતિ મહત્વ ધરાવતી મશીનરી બનાવી છે, ૯૦ ટન વજન ધરાવતી મશીનરી બનાવી, અહીથી નવ ટ્રક મારફતે હૈદરાબાદ રવાના પણ કરી દેવામાં આવી છે, આ મશીનરીમાં ૯૦ ટકા વાપરવામાં આવેલ ધાતુ અહીથી જ તૈયાર કરાયું છે, જ્યારે અન્ય ૧૦ ટકા હિસ્સો  જર્મનીથી  આયાત કરવામાં આવ્યો છે, છેલ્લા આઠ મહિનાથી ૨૫ થી ૩૦ લોકોએ આ મશીનરી બનાવવામાં સક્રિયતા દાખવી હતી.


ચંદ્રયાન બેમાં જ  જામનગરના આ ઉદ્યોગનું યોગદાન છે એવું નથી, પણ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે પણ હાથ મિલાવ્યા છે, દેશની બ્રહ્મોસ મિસાઈલ હોય કે નેવીની સ્થાનિક ટેકનીકથી બનાવવામાં આવેલ સબમરીન હોય કે પછી રેલ્વેના એન્જીન બનાવવાની મશીનરી હોય, જામનગરની આ સંસ્થાએ ભુતકાળમાં અહીથી જુદી જુદી મશીનરી બનાવી સપ્લાય કરી છે, આ માટે ગીતા એન્જીનિયરીંગના ઓનર સરદારસિંહ ઝાલા અને તેમના સૌ ટેકનીશીયનો એક્સપર્ટ અને એડવાઇઝરોએ તનતોડ મહેનત કરી છે જે જામનગર માટે સંભારણુ બનશે અને રાષ્ટ્ર પશ્ચિમ અને દક્ષીણ પ્રદેશને જોડતી કડી પણ બની છે. એક સમય હતો જયારે દેશના પશ્ચિમી છેવાડાના ભાગે આવેલ જામનગર જીલ્લાનો ઉલ્લેખ માત્ર ક્રિકેટ સાથે જ થતો પણ ગ્લોબલાઈઝેશન બાદ આ ચિત્ર બદલાયું જામનગરની બાંધણી બ્રાસ ઉદ્યોગે દેશના સીમાડા વટાવી આગવી ઓળખ ઉભી કરી છે, ત્યારે અવકાશ સંસોધન કરતી સંસ્થામાં પણ મહત્વનું યોગદાન આપી વધુ એક વખત જામનગરની ઓળખ વિશ્વ ફલક પર વિદ્યમાન થઇ છે.