જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના ધ્રોલમાંથી રહેણાંક મકાનમાં દરોડો કરી એલસીબીએ નશાયુક્ત 851 નંગ બોટલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઈવ રાખેલ હોય ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ ડીવાયએસપી ડી.પી. વાઘેલાએ આવા ઈસમો પર રેઈડ કરવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય ત્યારે અશોકભાઈ સોલંકી, રાકેશભાઈ ચૌહાણ અને ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ બાતમીના આધારે ધ્રોલ વિસ્તારમાં ખારવા રોડ પર દ્વારકેશ સોસાયટીમાં રહેતા દિનેશ અરજણ ઉર્ફે બાબુભાઈ શિયાર નામના શખ્સના રહેણાંક મકાનમાંથી નશાયુક્ત પીણાંની અલગ અલગ કંપનીની 851 નંગ બોટલ કિમંત રૂ 1,26,799નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, શરદભાઈ પરમાર, હીરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, બીજલભાઇ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદીએ કરી હતી.