જામનગર તા. ૮. દેશભરમાં ફેલાયેલ કોરોના મહામારી માં દર્દીઓને સારવાર માટે ઓક્સિજન સપ્લાય નિયમિત રીતે થઈ શકે તેવા હેતુ થી રેલવેની સેવા લેવા માં આવી છે .આજે જામનગર જિલ્લા ની રિલાયન્સ કંપનીમાંથી ૧૨૯.૮૬ ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો ભરીને હાપા (જામનગર ) થી એક ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના કરવામાં આવી હતી.
કોરોના મહામારી એ દેશ ભર માં કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ઓક્સિજનની વ્યાપક પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને હોસ્પિટલ ને નિયત સમયમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુ થી રેલ્વે સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે.આથી રેલવે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે અન્વયે જામનગર ની રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજનનો જથ્થો ભરીને જામનગર નજીક ના હાપા રેલવે સ્ટેશન થી આજે સવારે ૪:૪૫ કલાકે દિલ્હી કેંટ માટે છ ટેન્કર માં કુલ ૧૨૯.૮૬ ટન લિકવિડ ઑક્સિજ નો જથ્થો ભરી ને ટ્રેન રવાના કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી માં કુલ નવ ટ્રેન રવાના થઈ ચૂકી છે.
0 Comments
Post a Comment