મામલતદાર નાયબ મામલતદાર એસો.ની શાલીનતા જુઓ".માનનીય સાંસદ વસાવા "એવો શબ્દ પ્રયોગ કર્યો રજુઆતમાં: વસાવા ખુબ મેચ્યોર ને સાચુ પણ આકરૂ  બોલવામા અદકેરા છે જ પણ તેમને કઇ અંગત સ્વાર્થ હશે કે સીન પાડવો હશે કાંતો ગુસ્સામા બોલી ગયા હોય  તેવુ કોઇ કારણ હોવાની શક્યતા જાણકારો નકારે છે કેમકે આ સાંસદ ગ્રાઉન્ડ ના માણસ છે બાકી તેમના માન-પાન ઘટ્યા એટલે લાગી આવ્યુ હોય .....એવુ  પણ  કઇ જ નથી એટલા સંકુચીત પણ વસાવા નથી જ ---આવા પોઝીટીવ રાજકીય અભિપ્રાયો વચ્ચે સવાલ તો પછી આવુ થયુ કેમ???: રેવન્યુ નુ અને પોલીસ નુ જેમ તેમ અને  જનરલ તો રૂપાણી બેફામ  બોલતા જ  પણ વ્યક્તિગત તેમણે પણ......હા એક વખત જિલ્લાકક્ષાના અધીકારીઓને વન ટુ વન...."ફાઇલ ઉપર વજન" બાબતે  એવુ  કઇજ બોલેલા..........પણ વસાવાજી બોલ્યા એ તો બહુ કરી: ગુજરાતમા શાસક જુથના પ્રજાના ચુંટાયેલાઓની પણ " પત્ર ફેશન"  શુ સુચવે છે??? વહીવટીતંત્ર ને રૂંધવા કોણ પ્રયાસ કરે છે??



જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


ભાજપના સાંસદના મામલતદાર-ના.મા.સાથે અભદ્ર વર્તન---મામલો પહોંચશે લોકસભા અધ્યક્ષ બિરલાજી સુધી કેમકે નકલરવાના થય ગય છે તેમજ દેશમા અગ્રેસર પ્રધાનમંત્રી ગૃહમંત્રીઓ સહિત છ મંત્રીઓના વતન અને  ગરવા ને મોડેલ સ્ટેટ રાજ્ય  ગુજરાત ના ....ખુણે ખુણેથી આક્રોશ લગત વિભાગોમાં  ઉભો થયો  છે ત્યારે જામનગરમા લગતએ આગબબુલા થઇ આવેદન પાઠવ્યુ છે ત્યારે જોવાનુ છે કે મામલતદાર ---નાયબ મામલતદાર એસો.ની શાલીનતા જુઓ....".માનનીય સાંસદ વસાવા ......"એવો શબ્દ પ્રયોગ કર્યો છે રજુઆતમાં...!!???


 બીજીતરફ સાંસદ વસાવા ખુબ મેચ્યોર ને સાચુ પણ આકરૂ  બોલવામા અદકેરા છે જ પણ તેમને કઇ અંગત સ્વાર્થ હશે કે સીન પાડવો હશે કાંતો ગુસ્સામા બોલી ગયા હોય તેવુ બની જ ન શકે તેમ લોકો ને જાણકારો કહી ઉમેરે છે બાકી તેમના માન-પાન ઘટ્યા એટલે લાગી આવ્યુ હોય .....એવુ કઇ જ નથી એટલા સંકુચીત મનોવૃતિ વાળા  પણ વસાવા નથી જ તેમજ સંતુલન ગુમાવે તેવા પણ નથી તેમ ---રાજકીય અભિપ્રાયો ખુબજ મળ્યા છે તો પછી આમ કેમ થયુ હશે??? જો કે શાસક પાર્ટી કઇક કરશે ત્યારે ખ્યાલ આવશે  અને મુખ્યમંત્રી કે મહેસુલ મંત્રી કે પ્રદેશ સંગઠન શુ કરશે??? કોના તરફે ન્યાય તોળશે કે બંને તરફનુ સંતુલન કરશે??? તે જોવાનુ છે 

___________________
આવેદનપત્ર ગંભીર છે ધગધગતુ છે સ્ફોટક છે ચીમકીવાળુ છે ભારોભાર દબાયેલા આક્રોશ સમાન પણ છે......જોઇએ તેમા શું મુદાઓ છે


ગુજરાત રાજ્ય મામલતદાર એસોસીએશન ના માર્ગદર્શન હેઠળ જામનગર ના આ એસોસીએશન તેમજ સમર્થક તેમજ લગત રેવન્યુ સ્ટાફે જામનગર કલેક્ટર કચેરીમા પાઠવેલ આવેદન મા માન.સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, દ્વારા કરજણ મામલતદારશ્રી તથા નાયબ મામલતદારશ્રી સાથે અશોભનીય વર્તન કરવા બાબત વિષયે લેખીત આવેદન મા રજુઆત છે કે, માન.સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને માજી ધારાસભ્યશ્રી સતીષ નિશાળીયા આ બન્નેએ મોજે.માલોદ ગામે તા.૨૧/૦૨/૨૦૧૨ ના રોજ અકસ્માત થયેલ જેની શ્રધ્ધાંજલી આપવા માટે તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ તેઓની સાથે મામલતદારશ્રી અને નાયબ મામલતદારશ્રી બન્ને પ્રોટોકોલ મુજબ ગયેલ હતા. અકસ્માતના સ્થળે માન.સાંદશ્રી મનસુખભાઇ વસાવા તરફથી સ્થળ ઉપર ગામ લોકો અને સરકારી અધિકારીઓનીવચ્ચે જાહેરમાં ખોટી રીતે ઉશ્કેરાટમાં આવી સાંસદશ્રી મનસુખભાઇ વસાવા તરફથી બિભત્સ ગાળો બોલી અશોભનીય વર્તન કરેલ છે. તથા ધમકી ભર્યા સ્વરમાં મામલતદારશ્રી સાથે એક પદાધિકારીને શોભે નહી તેવુ અશોભનીય વર્તન કરેલ છે. જેના કારણે મામલતદારશ્રી અને તેઓની સાથેનો સ્ટાફ આઘાતવશ થઇને ઘોર નિરાશામાં પડી ગયેલ છે. સમગ્ર ઘટના દરમ્યાનની વિડીયો ક્લીપ જોતા મામલતદારશ્રી તથા સ્ટાફ દ્વારા માન.સાંસદશ્રી અન્ય પદાધિકારીશ્રી સામે એકદમ સંયમપૂર્વક વર્તન કરેલ છે. તથા અકસ્માત ઘટનાની વિગતો જોતા મામલતદાસ્ત્રી કે તેઓના સ્ટાફને આવી ઘટનાઓ સંબંધે જવાબદારી હોતી નથી. જે બાબતે પોલીસ વિભાગની ફરજ બનતી હોય છે.
આ  ઘટના સમગ્ર વહીવટી તંત્ર માટે કલંકરૂપ ઘટના છે તથા આ ઘટનાના સમગ્ર રાજ્યના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે, જેથી સમગ્ર ઘટના પરત્વે સંબંધિત પદાધિકારી વિરૂધ્ધ યોગ્ય કાનુની પગલા લેવા જરૂરી છે. ગુજરાત રાજ્ય મામલતદાર અશોસિઓએશન કડક શબ્દોમાં ટીકા કરે છે તથા સંબંધિત પદાધિકારીશ્રી જાહેરમાં સંબંધિત મામલતદારશ્રીની માફી માંગે તેવી માંગણી કરીએ છે તથા તેઓની વિરૂધ્ધ એક સરકારી અધિકારી વિરૂધ્ધ જાહેરમાં અશોભનીય વર્તન કરવા માટે કાનુની પગલાં લેવા માટે સંબંધિતોને સરકારશ્રી તરફથી આદેશ થાય તેવી અમારી માંગણી છે.તેમ એસોસીએશને ઉમેર્યુ છે વધુમાંજો આ બાબતે તા.૦૨/૦૩/૨૦૨૨ સુધીમાં સંબંધિત સાંસદશ્રી તથા અન્ય પદાધિકારી વિરૂધ્ધ કોઇ પગલાં લેવામાં નહી આવે તો, સમગ્ર રાજ્યના તમામ મામલતદારશ્રીઓ દ્વારા તેઓના વિરોધમાં આગામી સમયમાં આંદોલનાત્મક પગલા લેવામાં આવશે. તેમજ તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ તમામ મામલતદારશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ માસ સી.એલ. ઉપર જશે અને ત્યારપછી હડતાલ ઉપર જવાની ફરજ પડશે. જેની જાણ થવા વિનંતી છે તેમ પણ તદ્દન વિનમ્ર ભાવે ચીમકી આપી દીધી છે


ગુજરાત રાજય મામલતદાર એશોસિએશન દ્ધારા મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને સંબોધી ને પાઠવેલ આ આવેદન નીનકલ સવિનય રવાનાઓમ બીરલા સાહેબશ્રી, અધ્યક્ષશ્રી લોકસભા,૧૭, પાર્ટીમેન્ટ હાઉસ, નવી દેલ્હી- ૧૧૦૦૦૧
તેમજ  માન.સાંસદશ્રી મનસુખભાઇ વસાવા સામે જરૂરી આગળની કાર્યવાહી કરવા સારૂ. નકલ સાદર રવાના ગુજરાત રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓ તરફ કરી છે અને આ  આવેદનપત્ર સંબંધે સરકારશ્રીમાં જરૂરી રજુઆત કરવા સારૂ રવાના કરાઇ ગઇ હોવાનુ પણ જાણવા મળ્યુ છે



______________________
રેવન્યુ નુ અને પોલીસ નુ જેમ તેમ અને  જનરલ તો રૂપાણી બેફામ  બોલતા જ  પણ વ્યક્તિગત તેમણે પણ......હા એક વખત જિલ્લાકક્ષાના અધીકારીઓને વન ટુ વન...."ફાઇલ ઉપર વજન" બાબતે  એવુ  કઇજ બોલેલા..........પણ વસાવાજી બોલ્યા એ તો બહુ કરી......

ભાઇ વિ.રૂ. હાલ જેઓ ને અમેરીકામા પણ વિરોધીઓ સુખ નથી લેવા દેતા અને બિચ્ચારા....સંવેદનશીલ ગુજરાત સાચવવામા પડ્યા હતા વરસોથી તે પરિવાર ના સભ્ય ને મળવા માંડ માંડ જઇ શક્યા છે( આમા કોઇ રાજકારણ રાજકીય ગણીત વગેરે નથી હો....કે)તેઓ જાહેરમા બોલતા રેવન્યુ ખાતુ પોલીસ ખાતુ ભ્રષ્ટ છે ....કહેતા સૌ એ સાંભળ્યા છે અરે ભાઇ* ફુદડી તો મુકો કે બધા સરખા ન હોય બધા ભ્રષ્ટ નથી વિજયસર....માપ રાખો....ને ભ્રષ્ટ હોય તો સુધારો પણ બફાટ ન કરો......વિ.રૂ.  એ એક જમીન સંપાદન વિષયમા સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લા કક્ષાના વડાઓની વર્ચ્યુઅલ કોન્ફરન્સ વખતે "ફાઇલ ઉપર વજન" શબ્દ પ્રયોગ કોઇ ચોક્કસ અર્થમા ગુસ્સા અને આક્ષેપ ના સૂરમા બોલેલા તેવી પાયા વગરની ચર્ચા છે જો કે તેઓ ક્યારેય જાહેરમા કોઇપણ સમક્ષ કોઇના માટે વ્યક્તિગત નબળા શબ્દ બોલ્યા નથી તેમ નજીકના વર્તુળ કહેતા હોય છે

___________________________
ગુજરાતમા શાસક જુથના પ્રજાના ચુંટાયેલાઓની પણ " પત્ર ફેશન"  શુ સુચવે છે??? વહીવટીતંત્ર ને રૂંધવા કોણ પ્રયાસ કરે છે??

હવે તો શાસકપક્ષના જ નેતાઓ સરકારી તંત્ર સામે પત્ર થી રજુઆત થી સવાલો થી બાંયો ચડાવે છે તે શુ શાસકપક્ષ ની અશિસ્ત બતાવે છે કે કોઇના કામો અટવાય છે??? કે કોઇ કોઇ ને કોઇ વિભાગો ગણતા ન હોય ગણકારતા ન હોય તો ભોંઠા પડે છે પ્રજાને મોઢુ બતાવી ન શકવાનો બળાપો જુદી રીતે કાઢી પબ્લીસીટી મેળવે છે ત્યારે જામનગરના ભાજપ ના  પુર્વ સાંસદ  રાજકોટમા ધારાસભ્ય તેમજ બીજા બનાવમા પુર્વમંત્રીના પ્રશ્ર્નોના ઢગલા તો ગુજરાત ના કોઇ ધારાસભ્યની પોલીસ કામગીરી મામલે  ચીમકી તેમા વળી બીજી તરફ આ રેવન્યુ અધીકારીને જેમ તેમ બોલી કલેક્ટર ને પત્ર.....આ ઉપરાંત ના પણ ઘણા છાના છુપતા ઉદાહરણોના પણ  દાખલાઓ.....વગેરે.....વગેરે.....અરે ભાઇ અરજદાર થતા આવડવુ જોઇએ કચેરીઓમા બધા કામ કરવા જ બેઠા છે હા કોય કોય કામચોર ભ્રષ્ટાચારી ઢિલી નિતિ કામ નકરવાની મનોદશા વાળા તો વળી ઉપરથી સુચના આવે તો જ આગળ વધનારા....વગેરે સદગુણી કોક જ હોય તે બાબત પણ જોયા જાણ્યા વગર  આક્ષેપો ન જ કરાય હા ફરિયાદ કરાય ....પરંતુ મોટાભાગનો સ્ટાફ જે રાત દિ એક કરી સરકારની સુચના યોજના ગાઇડલાઇન મુજબ કામ કરે છે  તેમને જેમ તેમ ન જ બોલાય......આવા અનેક મુદા સરકારે ધ્યાનમા લેવા જરૂરી છે અને સેવા શિસ્ત વર્તણુક ના સરકારી કર્મચારીઓના છે તેવી જ રીતે ઇલેક્ટેડ પર્સન ના કોડ ઓફ કંડક્ટસ છે જ....પણ વંચાવશે કોણ??? નોકરી કરવી છે ને શાંતિથી??? બદલવુ છે???કે...પછી...... ગડગડીયુ આવશે હો..... ........વગેરે સાંભળવા અધીકારી કે કર્મચારીઓ નોકરી કરવા થોડા જાય છે??? અને હા ફરજ રુકાવટ કેસ તો નાગરીકો માટે બને પણ નેતાઓ માટે ન બને??? હિંમત એકઠી કરવી પડશે નહીતો સ્ટ્રેસ ટેન્શન ઇન્સલ્ટ....


_______________________..........@બમ્પર......................@

....બીજી તરફ શાસકપક્ષના અમુક નેતાઓ અમુક  હોદેદારો  જુજ પુર્વમંત્રીઓ કે  અમુક  પદાધીકારીઓ કેચોક્કસ આગેવાનો સહિત નાના મોટા ચુંટાયેલામાથી કોઇ ગણ્યા ગાંઠ્યાઓ માટે એક પ્રકારે રીસ્પોન્સ ન આપવા તેમજ   કોઇ કોઇ સરકારી વિભાગોમાં ઉપરથી સુચનાઓ તો  અપાઇ નથી ગઇને ઉપરથી જ તે માટે ??? તે લગત જુજ જે હાલ પાછા પડે છે ને અગાવ થોડા ઘણા  કામ થતા .....તેવા સૌ એ ચેક કરવુ કે ચેક કરાવી લેવુ જોઇએ તેવી ટીખળ પણ એક શહેરમા થતી હોવાની પણ ચર્ચા છે 

____________________
પહેલા જેવુ નથ જામતુ....પહેલા જેવી મજા નથી રહી....તે માટે આત્મ મંથન કરાય કેમકે હજુ ઘણુ ન ધાર્યુ થવાનુ છે માટે ફોકસ થવા અણછાતા વર્તન નો મતલબ શું????----જાણકારો ના સવાલ



આ બાબત હજુ બીજી રીતે સમજવાપ્રયાસ કરીએ તો એક  તરફ અમુકના જ કામ થાય તે વળી અલગ બાબત છે.....આ બધા જ ચિંતન ના વિષય છે પાર્ટીનુ જ રાજકારણ હોય અમુક પેધી ગયેલા કે પોતાને કઇક સમજનારા જુજ હોય તો તેમને બધા ના  આંખે કરી દેવાના જેથી ક્યારેય દાવેદારી કે માંગણી કે કામ મેળવવાના કારસા હવે ન કરે કેમકે "ભાઉ  "સબકુછ જાનતા હૈ......."નહી તો શાસક પક્ષના હોય તેમના કામ થાય જ પરંતુ કોઇ કોઇ નેતા વારંવાર પાછા પડે છે....હમણા હમણા થી વધુ એવુ થાય છે.....તેવી ચર્ચા વચ્ચે શાણા લોકો આવા ફર્સ્ટ્રેડ નેતાઓ ને સલાહ પણ આપે છે કે એકંદર  સાઇડ થયા કે હાંસીયામા ધકેલાયા કે પોતાના લાભ અટક્યા કે ફાયદા  ઓછા થયા અમુકની આંગળી પકડી સમૃદ્ધ થઇ ગયેલાઓ ઘણા હાલ ફ્રી થય ગયા માટે ત્યાથી સરવાણી બંધ થઇ કે ઓછી થઇ  વગેરે....ઘણા  પ્રકારના કોઇને  અસંતોષ હોય તો તે ફર્સ્ટ્રેશન સરકારી કર્મચારીઓ અધીકારીઓ જે વહીવટી તંત્રમા સરકારના મહત્વના ટુલ્સ છે હાથપગ છે ....તેમના ઉપર બળાપો કાઢવાનો અર્થ શુ??? કેમકે ઘણા ખરા જવાબદારો તો સુચનાઓ મુજબ ચાલતા હોય અલબત ખાનગી સુચનાઓ જ હોય તે બધી....!!! જે જગજાહેર કરવાની નથી હોતી....પરંતુ કારણો ને તારણો ઘણા હોય તેમ પણ વિશ્ર્લેકો જણાવે છે અને ચર્ચાઓ થતી હોય છે પરંતુ આ બધુજ બિનસતાવાર અને બિનઆધારભૂત અટકળો ને જ્યારે સમર્થન મળી જાય છે ત્યારે સમગ્ર વિશ્ર્લેષણ સાચુ પણ પડે છે અને આમેય અત્યારના સમયમા ઘણા લોકો આવુ બધુ જાણવા તાણાવાણા મેળવવા મથતા હોય ત્યારે પણ શુ કામ કાવાદાવા થાય છે અને હાલના યુગમા ઘણી બાબતો ખાનગી નથી રહેતી એક યા બીજા સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ બહાર આવે જ છે અને બહાર ન આવે તો કદાચ  પક્વ કે અપક્વ બાબતો હોય પણ ચર્ચા તો થાય ને હા... વાર લાગે સાચી વાતનુ મુળ જાણવા એ સ્વીકારવુ પડે  કોઇ કોઇ વાર  એ શક્ય છે પરંતુ જે હોય તે વહીવટી પ્રક્રિયાને રૂંધવાના અખતરા નેતાઓ ને શોભે નહી અને સતાના માધ્યમથી સેવા નો ઉદેશ્ય પણ મહદઅંશે બોલવામા સારૂ લાગે પણ  "છાનુ રે છપતુ કઇ થાય નહી....." ગીત જેવુ છે ઘણુ બધુ તેમ હોય છે એવી દરેક બાબતોના સરકારી વિભાગોમા કામ કરતા અધીકારીઓ કર્મચારી ઓ ભોગ ન બનવા જોઇએ હા કામ ન કરનારા કે ભ્રષ્ટાચાર કરનારા કે જોહુકમી વાળા કે અરજીઓ ફાઇલો દબાવી રાખનારાઓ ઢીલી નિતી અખત્યાર કરી ગતિશીલ ગુજરાત ની સાથે સરકારી સુચનાઓ છતા કદમ ન મીલાવતા હોય ....તેવા કોક જુજ કદાચ હોય .....છે તેમને પાઠ જરૂર ભણાવો પણ સરકારની છબી ખરડાય નહી તેમ પક્ષની ગરીમા લાજે નહી તેમ ને ઘરની વાત ઘરમાં જ રહે તેમ ઉકેલ લાવવા જોઇએ બીજીતરફ  અન્ય કર્મયોગીઓ ને નબળી ભાષાઓ મા જાહેરમા ઘણીવખત  ઉતરડાઇ જવુ એ અપમાન અન્યાય અને દબાણ જેવુ લાગે તે સ્વાભાવિક છે માટે કામ તો તે લોકો જ કરવાના છે તેમ સમજી જે કઇ પેટમા દુખતુ હોય તે બાબતે પર્સનલ એપ્રોચ સમજાવટ ફરિયાદો રજુઆતો અને લોકશાહી ઢબ વગેરે થી બળાપો  હલ થાય તે દિશામા વધુ વિચારી જાહેરમા એવુ ન કરવુ જોઇએ જેથી પક્ષની સરકારની પોતાની ગરીમા લાજે.....તેવી ઘણી રાજ્યના અમુક અમુક વિસ્તારોની આંખ ઉઘાડનારી બાબતો ની પણ વિશ્ર્લેષકો ચર્ચા કરતા સાંભળવા મળે છે.....