જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ સમર્પણ સર્કલ પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ સમર્પણ સર્કલ પાસેથી જામનગર એલસીબીના હીતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ તલાવડિયા અને અજયસિંહ ઝાલાએ બાતમીના આધારે અજય આશારામ કાપડી (રહે. ખોડીયાર કોલોની, પોલીસ ચોકી પાસે) નામના શખ્સને જીજે 03 બીપી 3794 નંબરની ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ મોટરસાયકલ રામેશ્વરનગર નંદનપાર્ક શેરી નંબર 3 પાસે રહેતા હરદેવસિંહ મંગળસિંહ જાડેજાનું ચોરી કર્યા હોવાનું કબુલ્યું હતું.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.