જામનગર મોર્નિંગ - જામનગર 

કચ્છ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં 15 વર્ષથી નાસતા ફરતા શખ્સને જામનગર પેરોલફર્લો સ્કવોડે દ્વારકાના કલ્યાણપુર ગામેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીને પકડવા સૂચના આપેલ હોય તે અન્વયે એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે. મિયાત્રા  તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં  હોય ત્યારે ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઇ ડાંગર અને કાસમભાઈ બ્લોચને મળેલ બાતમીના આધારે કચ્છ ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાનાનો સુત્રધાર છેલ્લા 15 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો નવલસિંહ મોતીલાલ મેડા (ગુલબાર, ગરબાડા, દાહોદ) નામનો શખ્સ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામે વાડી વિસ્તારમાં આવેલ હોય જેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.