બે ડઝન જેટલી દુકાનો સામે કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


 

     ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક નોનવેજની દુકાનો મંજૂરી વગર ધમધમી રહી છે. ત્યારે આજરોજ ફુડ વિભાગ સાથે નગરપાલિકા તંત્રએ આ સામે લાલ આંખ કરી, આવી નોનવેજની દુકાનો પર સીલ મારવા અંગેની કાર્યવાહી કરી હતી.

        ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં મંજૂરી વગર ચાલતી મટન નોનવેજની દુકાનો સામે પગલાં લેવા રાજ્ય સરકારને કરવામાં આવેલા હુકમના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ આ નિયમની અમલવારી કરવા માટે શહેરના ચોક્કસ વિસ્તારમાં માંસ-માટન વેચતા દુકાનદારો સામે નોટિસ આપવા અંગેની કાર્યવાહી કરાયા બાદ આજરોજ સવારે નગરપાલિકાના સ્ટાફ દ્વારા અહીંના ભઠ્ઠી ચોક વિસ્તાર નજીકના કસાઈ વાડા ખાતે બે ડઝન જેટલી દુકાનોમાં સીલ મારવા અંગેની કામગીરી કરી હતી.

     એટલું જ નહીં, ફૂડ વિભાગ દ્વારા આ અંગે ધોરણસર કેસ કરવાની કામગીરી પણ કરાઇ હતી. આગામી સમયમાં પણ મીટ શોપ અંગે ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.