જામનગર મોર્નિંગ - જામનગર
ભારત દ્વારા મંગળવારે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે એઇર એટેક કરી આતંકીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો જે એઇર એટેકની કાર્યવાહી પછી સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સાગર કિનારા વિસ્તારોના જિલ્લાઓ પોરબંદર, જામનગર વગેરેમાં પણ હાઇએલર્ટ ઘોષીત કરવામાં આવ્યું છે. જેના પગલે જામનગરની મરીન પોલીસે, એસ.ઓ.જી., કોસ્ટગાર્ડ સહિતની ટુકડીઓ દ્વારા મોટા પાયે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પુલવાવામાં થયેલા આતંકી હુમલા પછી ભારત બદલો વાળવા માટે મંગળવારે એઇર એટેક કરી 300થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો છે. જે એઇર એટેકના પગલે ગુજરાતના સાગર કિનારાઓ પરના જિલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જામનગર જિલ્લાને હાઇએલર્ટ જારી કરી દેવાયા પછી જામનગરની એસ.ઓ.જી. શાખા, કોસ્ટગાર્ડ, મરીન પોલીસે સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ સાગર કિનારાઓ ઉપર પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હથિયારધારી જવાનો ખડકી દેવામાં આવ્યા છે. જામનગર શહેરના એસ.ટી. ડેપો અને રેલવે સ્ટેશન પર આવનારા તમામ મુસાફરોના સામાન બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે અને રેલવે પોલીસને પણ તહેનાત કરી દેવામાં આવી છે. જામનગર શહેરની તમામ ચેક પોસ્ટને સીલ કરી દઈ વાહનોનું કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ધર્મ શાળા, હાઇવે હોટલ, ધાબા, સીનેગ્રહો સહિત તમામ જાહેર સ્થળોએ પણ એલ.સી.બી. તથા જુદી જુદી પોલીસ ટુકડીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
0 Comments
Post a Comment