• અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા ની પણ ઉપસ્થિતિ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં દર્દી સંક્રમિત થાય તો તેને તુરંત આઇસોલેટ કરવાના પ્રયાસો હાથ ધરાશે


ખંભાળિયા તા.૩૦ કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે જિલ્લા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.


મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી હોસ્પિટલોમાં બેડ વધારવાની સાથે દર્દીઓ માટે ઓક્સિજનની સપ્લાય વધારવાની સાથે પૂરતો દવાનો જથ્થો મળે તે માટે પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. કોરોના સામે સામૂહિક લડત કરવાની છે અને તેમાં લોકો, પદાધિકારીઓ, સંસ્થાઓ સૌનો સહયોગ મળી રહ્યો છે.


મંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલા પગલા ની જાણકારી મેળવી રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કેટલીક નવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.


મંત્રીશ્રીએ પદાધિકારીઓને જણાવ્યું હતું કે ગામમાં કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને આઇસોલેટ કરવાની કામગીરીમાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને પદાધિકારીઓ સાથે મળીને કામ કરે. હળવા લક્ષણોવાળા દર્દી ને ઘરે આઇસોલેટ થવાની વ્યવસ્થા ન હોય તો સંસ્થાઓના કે તંત્રના સહયોગથી ચાલતા કોવિડ કેર સેન્ટરમાં તેને માટે વ્યવસ્થા થાય તે અંગે કામગીરી કરવા જણાવ્યું હતું જેથી પરિવારના અન્ય સભ્યો સંક્રમિત ન થાય તે પણ જરૂરી છે.


 કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા હાથ ધરાયેલા પગલાં અંગેની મિટિંગની શરૂઆતમાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. સુતારીયાએ જિલ્‍લામાં કોરોનાની પરિસ્‍થિતિની વિગતવાર માહિતી આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોઝીટીવ કૂલ કેસ ૨૦૮૦, ડીસ્‍ચાર્જ ૧૪૯૫, છેલ્‍લા ૧૫ દિવસના એવરેજ કેસ ૩૫ છે. જિલ્‍લમાં ૧૫ ધન્‍વંતરી રથ દ્વારા દરરોજ ૨૪ ગામડા કવર કરી ૧૧૬ જેવી ઓપીડી કરવામાં આવે છે. દૈનિક ટેસ્‍ટ-૧૪૦૦, આર.ટી.પી.સી.આર. કલેકશન સેન્‍ટર ૪૬, આર.એ.ટી. કલેકશન સેન્‍ટર ૯૭ આવેલા છે.તા.૨૯/૪/૨૧ સ્‍થિતિએ જિલ્‍લામાં કુલ ૧૫ કોવિડ હોસ્‍પીટલમાં ૬૫૬ બેડ, ઓકસીજન બેડ-૨૬૨, વેન્‍ટી. બેડ ૩૩ છે.


ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૨૯૧ આઇસોલેસન્‍સ સેન્‍ટર ૪૭૧૫ બેડની સુવિધા સાથે ઉભા કરવાનું આયોજન છે. જેમાં આરોગ્‍ય, શિક્ષણ, આંગણવાડી, તલાટી વગેરેનો સહયોગ લેવામાં આવશે.


             જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં હેલ્‍થવર્કર, ફ્રન્‍ટલાઇન કર્મચારી, ૬૦ વર્ષ ઉપરના તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કુલ ૧૦૮૫૮૭ લોકોનું વેકસીનેશન કરવામાં આવેલ છે.


આ બેઠકમાં અન્‍ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પુનમબેન માડમ, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, જિલ્‍લા ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, જિલ્લા અગ્રણીશ્રી વી.ડી. મોરી, શ્રી પી.એસ. જાડેજા, જિ.પં. આરોગ્‍ય સમિતિના ચેરમેન શ્રી નથુભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ. જાની, જનરલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. મટાણી, તેમજ તાલુકાના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.