જામનગર મોર્નિંગ - દ્વારકા તા.16 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ રાજસ્થાન ના ઉદયપુર થી છેલ્લા 18 વર્ષથી દ્વારલાધીશ ના દર્શન કરવા પદયાત્રા કરવામાં આવે છે સમગ્ર વિશ્વ માં શાંતિ સ્થાપિત રહે અને લોકોને સારું આરોગ્ય મળી રહે અને લોકો ની સુખાકારી માટે આ પદયાત્રા નું ખાસ આયોજન થાય છે આ પદયાત્રા માં 50 જેટલા લોકો જોડાય છે ઉદયપૂર જિલ્લાના નવનિયા ગામના 105 વર્ષના ભેરુલાલ મહારાજ છેલ્લા 18 વર્ષથી દ્વારકા ખાતે પગપાળા પહોંચે છે અને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી લોકો ના સારા અરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે આવે છે તેની સાથે અન્ય 50 જેટલા લોકો પણ જોડાય છે જેમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ પદયાત્રા કરી સાથ આપે છે જ્યારે જામનગર ના પણ એક વ્યક્તિ આ પદયાત્રા માં જોડાય છે.