શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સુતા રહેતા લોકોને રક્ષણ આપવા દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં ૯૦૦ નવા ધાબળા, ૧૨૦૦ ગરમ ટોપીનું વિતરણ

જામનગર મોર્નિંગ - રાજકોટ 


અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સુતા રહેતા લોકોને રક્ષણ આપવા ધાબળા, ટોપીનું વિતરણનો પ્રથમ તબકકામાં પ્રારંભ કરાયો છે. દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં ૯૦૦ નવા ધાબળા તથા ૧૨૦૦ ગરમ ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટના પ્રમુખ મિતલ ખેતાણી ધાબળા વિતરણ અભિયાન અંગે માહિતી આપતા વધુમાં જણાવે છે કે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. શીયાળાની શરૂઆતમાં જ ઠંડી પડવાની શરૂઆત થઇ છે ત્યારે શીયાળાની ઠંડીમાં સમાજના આપણા જરૂરતમંદ સ્વજનોને નવા ધાબળા આપી ઠંડીથી બચાવવાનું અભિયાન શરૂ કરાયું છે. માનવતા જેના લોહીમાં વહે છે તેવા બાલકૃષ્ણભાઈ સોમૈયા (મો.૯૪૨૭૨૭૦૯૭૦), દિપકભાઈ રાજાણી (મો.૯૮૭૯૫ ૩૭૨૩૫), સંજયભાઈ કક્કડ (મો.૯૮૨૪૦૪૩૩૯૯), ચેતનભાઈ ગણાત્રા (મો.૯૯૦૪૦૮૬૦૮૦), હિરેનભાઈ વડેરા (મો.૯૫૭૪૪ ૫૫૦૫૫), રાજેશભાઈ કારીઆ (મો.૯૪૨૬૭ ૮૩૩૭૭)ના માર્ગદર્શનમાં મોડી રાત્રીના સમયે ટીમ કડકડતી ઠંડીમાં નીકળીને રાજકોટ સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે, મેટોડા, શાપર, ચોટીલા, આજી તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં ફુટપાથ પર, સીમમાં ઓઢયા વગર સુતા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાય પર સૂતેલા અને હાઈવે પર ઝુપડા બાંધી રહેતા અને દરીદ્ર નારાયણો, બાળકોને, વડીલોને ઠંડીમાંથી રાહત રક્ષણ અપાવવાના ભાગરૂપે દાતા પરીવારના સહયોગથી વિનામૂલ્યે ધાબળા, ટોપીનું સ્થળે જઈને વિતરણ કરાઈ રહયું છે. થોડા દિવસથી ઠંડી સખત પડે છે આપણે તો ઘ૨માં ચાર દિવાલમાં હીટર ચાલુ હોય, બ્લેન્કેટ–ગોદડા ઓઢીને સુતા હોઇએ છીએ, બહાર નીકળીએ તો પણ ગરમ મોજા સ્વેટર ટોપી, મફલર, શાલ ઓઢી હોય છે અને છતાં 'બહુ ઠંડી' એમ બોલાઈ જતુ હોય છે ત્યારે આવી હાડ થીજવતી કાતિલ ઠંડીમાં જેમને ઉપર આભ નીચે ધરતી છે તેવા ફૂટપાથ પર ઓફીસ કે દુકાનના ઓટલા પર ખુલ્લા મેદાનમાં કે બાંધકામની ચાલતી સાઈટ પર ઓઢવાનું તો એક બાજુ રહયું પણ પાથર્યા વગર સુતેલ સમાજનાં આપણા સમાજના આપણા જરૂરીયાતમંદ કુટુંબોની વ્હારે ચડવાનો પ્રયત્ન કરેલ છે. એક નવા ધાબળાનાં રૂા.૧૩૦, ટોપીના રૂા. ૧૮ છે. જે કોઈ દાતાશ્રીઓએ સ્વૈચ્છાએ પોતાનું અનુદાન આપવું હોય તો તે પણ આવકાર્ય છે.

જુના, વાપરવા લાયક ગરમ કપડા (પહેરી શકાય તેવા) આપવા હોય તો પણ તેનો સ્વિકાર સંસ્થા દ્વારા નીચેના સરનામે સ્વીકારવામાં આવશે. નવા જુના (પહેરી શકાય તેવા) ગરમ કપડા આપવા જનસેવાના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માંગતા હોય તેઓએ ગરમ કપડા પહોંચાડવા માટેની વિશેષ માહિતી માટે (૧) જીતુલભાઈ કોટેચા, હોટલ યુરોપાઈન, રાજશ્રી સિનેમા સામે, ભુપેન્દ્ર રોડ, રાજકોટ (૨) મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), 'સત્યમ', ૩–ટાગોરનગર, કાલાવડ રોડ, રાજકોટ, (૩) એચ.એમ. એન્ટરપ્રાઈઝ, ક્રીષ્ના કોમ્પલેક્ષ, બાલાજી હોલ પાસે, સાવલીયા હોસ્પિટલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.

સમગ્ર આયોજન અંગે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના—રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, કલ્પેશ હરીશભાઈ પલાણ, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, દિલીપભાઈ સોમૈયા, ચંદુભાઈ રાયચુરા(ઉપપ્રમુખશ્રીઓ), સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા (મહામંત્રીશ્રીઓ), ધર્મેશભાઈ કકકડ, બાલાભાઈ સોમૈયા, ચેતનભાઈ ગણાત્રા(સહમંત્રીશ્રીઓ), જીતુલભાઈ કોટેચા (થેલેસેમીયા સમિતી), હિરેન વડેરા (પ્રમુખ, યુવા પાંખ), રાજેશભાઈ કારીયા (ખજાનચી), ધીરેન્દ્ર કાનાબાર (જીવદયા સમિતી), મનુભાઈ મીરાણી, કિરીટભાઈ કેસરીયા, સમીર રાજાણી, મયુર અનડકટ, સાગર તન્ના, પાર્થ ધામેચા,જયેશભાઈ ઠકકર, મિત્સુ ઠકરાર, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટની ટીમ જહેમત ઉઠાવી રહી છે.