બે નંગ જીવતા કારતુસ મળી આવ્યા: એલસીબી દ્વારા કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર આવેલ આમરાગામના પાટીયા પાસેથી જામનગર એલસીબીએ બાતમીના આધારે એક શખ્સને પિસ્તોલ તથા બે નંગ જીવતા કારતુસ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુએ દારૂ, જુગાર તથા હથિયારધારાના કેસો શોધવા સુચના આપેલ હોય જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ ટીમ સાથે દારૂ, જુગાર તથા હથિયારધારાના કેસો શોધવા વર્ક આઉટ કરી રહ્યા હોય ત્યારે સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા અને શીવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકતના આધારે જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર આવેલ આમરાગામના પાટીયા પાસેથી સલાયા રેલ્વે સ્ટેશન પાસે રહેતો સુલતાન ઉર્ફે ગાંડી જુસબ સુંભણીયા નામના શખ્સને લાયસન્સ પરવાના વગરની પિસ્તોલ કિમંત રૂ. 25,000 તથા બે નંગ જીવતા કારતુસ કિમંત રૂ. 200 કુલ મળી રૂ. 25,200ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગરે કરી હતી.