એલસીબી દ્વારા કાર્યવાહી: રહેણાંક મકાનેથી પૂર્વબાતમીના આધારે ઝડપાયો 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર શહેરના ઢીંચડા રોડ પરથી એક શખ્સ ગેરકયદેસર પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીસ સાથે પોતાના મકાનેથી ઝડપાતા એલસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ પિસ્તોલ મધ્યપ્રદેશના શખ્સ પાસેથી લીધી હોવાનું તપાસમાં ખુલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચનાથી એલસીબીના પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ આર.બી. ગોજીયા શહેરમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ઢીંચડા રોડ, તિરુપતિ-2 માં રહેતા રિઝવાનખાન ઈસરારખાન પઠાણ નામના શખ્સને તેના મકાનેથી ગેરકાયદેસર પિસ્તોલ નંગ 1 કિંમત રૂ. 50,000 તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી  લઈ રૂ. 50,100નો મુદામાલ કબ્જે સીટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોક્ત પિસ્તોલ આરોપીએ અબ્દુલભાઈ (રહે. કુકડીખાપા, તા. પીપળીયા, જી. છીંદવાડા, મધ્યપ્રદેશ) નામના શખ્સ પાસેથી લીધી હોય જેથી તેના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.         
આ કાર્યવાહી પીઆઇ એમ.જે. જલુ પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, અશ્વિનભાઈ ગંધા, સંજયસિંહ વાળા, દિલીપ તલવાડીયા, ભરતભાઈ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોઝભાઈ દલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઈ સોલંકી, હિરેનભાઈ વરણવા, હરદીપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, મિતેશભાઈ પટેલ, લાભુભાઈ ગઢવી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.