દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા

લોકોના પ્રશ્નો / ફરિયાદો / રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને દર મહિનાના ચોથા ગુરુવારે સવારના 11 કલાકે કલેકટર કચેરીદેવભૂમિ દ્વારકા ખાતેમુ. ખંભાળિયા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામતાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય. અરજદારે ગ્રામતાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે.આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશેસામુહિક રજુઆત કરી નહીં શકાય તેમ ઈ.ચા.નિવાસી અધિક કલેકટરશ્રીદેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.