જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 


રાજ્ય સરકાર ના આદેશ અનુસાર તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ ને બુધવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રીશ્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે કલેકટરશ્રી ભાવનગર ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે.

ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રી ઓ પાસે થી તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીવાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટીમામલતદાર શ્રી, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ માં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એ આ કાર્યક્રમ માં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નથી તે સીટી મામલતદાર ભાવનગરની અખબારી યાદી માં જણાવાયું છે.