જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગ હેઠળ શનિવારે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી પી.એસ. કાલાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન પાત્ર કેસીસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબના ચેક કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી લીટીગેશન કેસો મળીને એક જ દિવસમાં કુલ 1664 કેસોમાં સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

જેમાં દાવાની રકમ રૂ. 3,50,24,587 હતી. આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.