વિશ્વ હિન્દુ પરીષદ ની ધર્મસભા ને જામનગરના બસ્સોથી વધુ રીક્ષા ચાલકો નો સહકાર મળ્યો
જામનગર મોર્નિંગ તા.૧૩ : જામનગરના
પ્રદર્શન
ગ્રાઉન્ડમાં આગામી 16 ડિસેમ્બરે ના સાંજે 4 વાગ્યે વાગે
યોજાનારી વિરાટ ધર્મસભા ના સમર્થનમાં અનેક હિન્દુ સંગઠનો સામે આવી રહ્યા છે
ત્યારે જામનગરના દરેક હિંદુ ધર્મ પ્રેમી ભાઈઓ આ ધર્મસભા ને સફળ બનાવવા
માટે કાર્યરત બન્યા જામનગરના પાણાખાણ વિસ્તાર તેમજ જનતા ફાટક વિસ્તાર ના
રિક્ષા ચાલકો પણ આ ધર્મ માટે તેઓનું સમર્થન જાહેર કરી રહ્યા છે અંદાજે
બસોથી વધુ રિક્ષાચાલકોએ તેમની રીક્ષા માં બેનર તેમજ ધજા વિનામૂલ્યે લગાડી
છે એટલું જ નહિ પણ સભાના દિવસે એટલે કે ૧૬ ડિસેમ્બરના રોજ તેઓ જે કોઈપણ
ધર્મ પ્રેમી ભાઈ-બહેનો અને વડીલો આ ધર્મ સભામાં જવા માંગતા હોય તેઓને
પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી આવવા-જવાની વિનામૂલ્યે સેવા આપનાર છે વિશ્વ હિન્દુ
પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારે સમાજનો દરેક
વર્ગ દરેક હિંદુ પ્રેમી તેઓનું સમર્થન અને સહકાર આપી રહ્યા છે ત્યારે વિશ્વ
હિંદુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ફલિયા એ વધુમાં વધુ સંગઠનો આ ધર્મ માં જોડાય
તે પ્રકારની અપીલ કરી હતી.
0 Comments
Post a Comment