બર્ધનચોકમાં વાહનો ઉપાડવાના મુદ્દે વેપારીઓએ બંધ પાળ્યો
જામનગર મોર્નિંગ તા.૧૪ : જામનગરમાં ટ્રાફિક પોલીસે
શહેરમાંથી આડેધ પાર્ક થયેલા વાહનો ઉપાડવા ભાડે રાખેલા ટોઇંગ વાહનના
કોન્ટ્રાક્ટરોના સ્ટાફ પોલીસની સૂચના બાદ દરબારગઢથી બર્ધનચોક સુધીના વિસ્તારમાં
બે-ત્રણ વાર ત્રાટકીને લોકોને વાહન ઉપાડવાની કામગીરીના વિરોધમાં આ વિસ્તારના
વેપારીઓએ વીજળીક હડતાલ પાડીને વિરોધ વ્યક્ત કરતા સતત ધમધમતા આ વિસ્તારમાં સોપો પડી
ગયો હતો.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhHXco4WyaPMr6cQNVG92mJ6iRNiK94xWo2PNUrZPkvzp_VrHmzG6fjr2SBpsjUGpmqn4rAW7HsBFj2eG2zvecNArNNxT0QMXYw-RwrrNhyHg8NHHUbmzFYCyFMQdFcgqsBlqH-pHLF38nD/s200/IMG-20181213-WA0030.jpg)
વેપારીઓના એસોસિએશનના
હોદેદારો ભોલાભાઈ સિંધી, સુરેશભાઈ સહિતના વેપારીઓએ એકઠા થઈ આ મામલે
એસપીને રજુઆત કરવા બેઠક બોલાવી હતી. આ અંગે ટ્રાફિક શાખાના પીઆઇ સિધ્ધાર્થરાજ
આનંદે જણાવ્યું હતું કે, એકલા વાહન પાર્કિંગ સામે નહીં પરંતુ
જે કોઈ ટ્રાફિકને અવરોધરૂપ થતા હશે તેવા પથારાવાળા, રેંકડીવાળા
સહિતનાઓ સામે કાયદા મુજબની જ કાર્યવાહી કરવામાં આવશે.
0 Comments
Post a Comment