બર્ધનચોકમાં વાહનો ઉપાડવાના મુદ્દે વેપારીઓએ બંધ પાળ્યો
જામનગર મોર્નિંગ તા.૧૪ : જામનગરમાં ટ્રાફિક પોલીસે
શહેરમાંથી આડેધ પાર્ક થયેલા વાહનો ઉપાડવા ભાડે રાખેલા ટોઇંગ વાહનના
કોન્ટ્રાક્ટરોના સ્ટાફ પોલીસની સૂચના બાદ દરબારગઢથી બર્ધનચોક સુધીના વિસ્તારમાં
બે-ત્રણ વાર ત્રાટકીને લોકોને વાહન ઉપાડવાની કામગીરીના વિરોધમાં આ વિસ્તારના
વેપારીઓએ વીજળીક હડતાલ પાડીને વિરોધ વ્યક્ત કરતા સતત ધમધમતા આ વિસ્તારમાં સોપો પડી
ગયો હતો.
જામનગરની ટ્રાફિક શાખાના કોન્ટ્રક્ટરોના
વાહનોએ શહેરના તમામ વિસ્તારોને છોડીને માત્ર બર્ધનચોક વિસ્તારમાં જ વારંવાર
ત્રાટકીને દુકાનોમાં ખરીદી કરવા ગયેલા વાહનો ઉપાડવાની પ્રક્રિયા આદરતા વેપારીઓએ
કોન્ટ્રાક્ટરોના માણસોને આમ કરીને ગ્રાહકોને ભગાડી નહીં દેવા રજુઆત કરતા બોલાચાલી
થઇ હતી. તેથી આ વિસ્તારના 100 જેટલા વેપારીઓએ વીજળીક હડતાલ કરીને દુકાનો બંધ કરી દેતા આ
વિસ્તારમાં સોપો પડી ગયો હતો.
વેપારીઓના એસોસિએશનના
હોદેદારો ભોલાભાઈ સિંધી, સુરેશભાઈ સહિતના વેપારીઓએ એકઠા થઈ આ મામલે
એસપીને રજુઆત કરવા બેઠક બોલાવી હતી. આ અંગે ટ્રાફિક શાખાના પીઆઇ સિધ્ધાર્થરાજ
આનંદે જણાવ્યું હતું કે, એકલા વાહન પાર્કિંગ સામે નહીં પરંતુ
જે કોઈ ટ્રાફિકને અવરોધરૂપ થતા હશે તેવા પથારાવાળા, રેંકડીવાળા
સહિતનાઓ સામે કાયદા મુજબની જ કાર્યવાહી કરવામાં આવશે.
0 Comments
Post a Comment