દેવભુમિ દ્વારકા તા.૨૧, દેવભૂમિ દ્વાકા
જિલ્લામાં અપુરતા વરસાદના લીધે ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત/
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. જેમાં ખેડુતોને મળનારી હેકઠર દીઠ કૃષિ
ઇનપુટ સહાય મેળવવા ઇચ્છતા ખેડુતો માટે તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી અરજીઓ મેળવવાનો સમયગાળો
લંબાવવામાં આવેલ છે. જે કૃષિ ઇનપુટ સહાય મેળવવા ગ્રામ પંચાયતના તલાટીમંત્રીશ્રી
તેમજ નગરપાલિકા વિસ્તારમાં સીટી તલાટીમંત્રીશ્રી પાસેથી ફોર્મ મેળવીને સાધિનક
કાગળો જેવા કે ૭-૧૨, ૮-અના ઉતારા, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે
તા.૩૧-૦૧-૨૦૧૯ સુધી લગત તાલુકાએ પરત આપવાના રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની
યાદીમાં જણાવાયું છે.
ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકાના ખેડુતોએ કૃષિ ઇનપુટ સહાય મેળવવા ૩૧-જાન્યુઆરી સુધીમાં અરજી કરવી
Tags
પ્રેસ નોટ
0 Comments
Post a Comment