બે શખ્સની રૂ. 1.23 લાખના દાગીના મળી આવતા ધરપકડ 
જામનગર મૉર્નિંગ - જામનગર. જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં એલસીબીની ટીમે વોચ ગોઠવી એક તસ્કર બેલડીને ઝડપી લીધી છે અને તેઓના કબ્જામાંથી ચોરાઉ મનાતા રૂ. સવા  લાખની કિંમતના સોનાના દાગીના કબ્જે કર્યા છે જે દાગીનાની તેઓએ જામનગરના એક રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા જામનગરની એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ગઇ તા. ૧૩-૯-૧૬ના રોજ  શહેરમાં નવાગામ ઘેડ, શંકરના મંદિર પાસે રહેતા કરણાભાઇ મેહાભાઇ ભરવાડ પોતાના રહેણાંક મકાનને તાળા મારી પોતાના પરિવાર સાથે બાલચાડી કનિદૈ લાકિઅ ગામે પિતૃકાર્ય માટે ગયેલ હતા. દરમ્યાન પાછળથી કોઇ અજાણ્યો માણસ ફરીયાદીના મકાનનું તાળ તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂ. પ૦,૦૦૦ કનિદૈ લાકિઅ મળી કુલ રૂ.૧,૪૦,પ૦૦/-ના અકિલા મુદામાલની ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે સીટી બી-ડીવી. પો.સ્ટે.માં અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ હતો કનિદૈ લાકિઅ જે ચોરીનો ગુનો વણશોધાયેલ હતો. ચાદી બજાર માંડવી ટાવર પાસેથી ચોરીમાં સંડોવાયેલ મનીશભાઇ ઉર્ફે ઘેલુ ઉર્ફે રફલો દેવાભાઇ જોગસ્વા કનિદૈ લાકિઅ ભરવાડ રહે. નવગામઘેડ અને  અબ્દુલભાઇ જુસબભાઇ સફીયા રહે. રામેશ્વરનગર, આનંદ કોલોનીના કબ્જામાંથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ. ૧,ર૩,૦૦૦નો કનિદૈ લાકિઅ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓની એસ.એસ.આઇ. જયુભા ઝાલાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 
આ કાર્યવાહી પો. ઇન્સ. આર.એ. ડોડીયાની કનિદૈ લાકિઅ સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા, વી.વી. વાગડીયા, કે.કે. ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ કનિદૈ લાકિઅ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ કનિદૈ લાકિઅ ધાધલ, નિમળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.