પતિની સલામતીની ચિંતાને લઈને ના પાડતા ગભરાઈને પગલું ભરી લીધું   
જામનગર મોર્નિંગ - દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં એક જવાનના પત્નીએ આપઘાત કરી લેતાની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. દેશની સુરક્ષા માટે પતિએ રજા પરથી પરત જવાનું જણાવતા પત્નીએ અટકાવતા તેઓના પતિ નહીં માનતા આપઘાત કરી લીધાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. 


મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ભુપેન્દ્રસિંહ જેઠવા પરિવાર સાથે રહેતા હોય હાલ તેઓ કાશ્મીરમાં સેનામાં ફરજ બજાવે છે. તાજેતરમાં કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 થી વધુ જવાનો શહિદ થવાની ઘટના સામે આવી છે. ત્યારે ભુપેન્દ્રસિંહની સલામતીની ચિંતાને લઈને તેઓના પત્ની ચિંતા પડી ગયા હોય દરમ્યાન રજા પર આવેલા ભુપેન્દ્રસિંહને ફરજ ઉપર પરત ન જવા જણાવેલ. દરમ્યાન ભુપેન્દ્રસિંહએ દેશની સુરક્ષા માટે જવાનું કહેતા આ વાતનું મનમાં લાગી આવતા આજે  સવારે મીનાક્ષીબાએ પોતાના ઘરે આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે આવતા તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.