ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેન પટેલ બાદ કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. માણાવદરના ધારાસભ્યો જવાહર ચાવડાએ કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

જામનગર મોર્નિંગ - જામનગર 
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર એક પછી એક આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ ઉંઝા મહિલા ધારાસભ્યો આશાબેન પટેલે કોંગ્રેસથી નારાજ થઇને રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેન પટેલ બાદ કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. માણાવદરના ધારાસભ્યો જવાહર ચાવડાએ કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસથી નારાજ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે ગુજરાતના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોપ્યું હતુ. જોકે હજું ભાજપ વર્તુળોમાં ચર્ચાતી માહિતી પ્રમાણે જવાહર ચાવડા એક કે બે દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. જોકે, આ અગાઉ પણ ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપી શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે આજે દિલ્હીમાં અહેમદ પટેલ સાથે બેઠક મળ્યા બાદ અલ્પેશ કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
બીજી બાજુ લોકસભા ચૂંટણીને લઇને માણાવાદરના કોંગ્રેસ ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહીર નેતા છે. અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ તેઓ આજ સાંજ સુધીમાં ભાજપમાં જોડાઇ કેસરીઓ ખેસ ધારણ કરી શકે છે.