જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રહેતો કમલેશભાઈ રાઘવભાઈ ચુડાસમા નામના ૪૨ વર્ષના ખવાસ યુવાનને ગઈ તા. ૧૨ની બપોરે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે સવારે મૃત્યુ નિપજતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.