કટિશૂલ (કમરના રોગો) પર નિઃશુલ્ક યોગ-ચિકિત્સા શિબિર
જામનગર મોર્નિંગ - જામનગર
ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત-યોગ વિભાગમાં ધન્વંતરી મંદિર, ડી.કે.વી. સર્કલ સામે તા. 11/03/2019 થી 16/03/2019 સુધીના છ દિવસ સુધી સાંજે 3.00 થી 6.00 વાગ્યા દરમ્યાન "કટિશૂલ (કમરના રોગો)" પર નિઃશુલ્ક યોગ-ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી ઉપરોક્ત સ્થળે કાર્યાલયના સમયે રજા સિવાયના દિવસોમાં રૂબરૂમાં આવી નામ નોંધાવી જવું તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
No comments