મુખ્યમંત્રીશ્રી દ્રારા ખંભાળીયા ખાતે રૂા.૧૦.૬પ કરોડના ખર્ચે પોલીસ ભવન તેમજ રૂા.૪.૨૭ કરોડના ખર્ચે નિર્મિત ખંભાળીયા અને ભાણવડ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયુ: નિર્દોષ દંડાઇ નહિ અને ગુન્હેગાર કાયદાની ચુંગાલમાંથી છટકે નહિ તે માટે રાજ્ય સરકાર : વિજયભાઇ રૂપાણી
દેવભૂમિ ધ્વારા જિલ્લો સ્વચ્છતા દર્પણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે વિજેતા
જામનગર મોર્નિંગ - જામનગર
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્રારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ૧૦.૬પ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પોલીસ ભવન તેમજ ખંભાળીયા અને ભાણવડ ખાતે રૂા.૪.૨૭ કરોડના ખર્ચે નિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યુ હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૩માં નવા જિલ્લાઓનુ નિર્માણ કરી લોકોનો સમય અને શક્તિ બચે તે માટેનો માર્ગ કંડાર્યો હતો ત્યારે આજે આ જિલ્લાઓ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે અને દેવભૂમિ દ્રારકા જિલ્લો પણ વિકાસની દોડમાં મોખરે છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ દારૂની બદીને નાથવા કડક દારૂબંધી, મહિલાઓના ચેનની ચીલ ઝડપ કરનારાને ૭ વર્ષ સુધીની સજા ગૌ હત્યાને ડામવા કડક કાયદા આ સરકારે બનાવી ખંડણીખોરો, માફીયાઓ સહિત ગુન્હેગારોને નેસ્ત નાબુદ કર્યા છે.
સમગ્ર ગુજરાતમાં C.C.T.V. નું નેટવર્ક ઉભુ કરી ગુન્હેગારો કોઇપણ રીતે ના છટકે તેની વ્યવસ્થા કરી છે, ટેકનોલોજીનો પોલીસ વિભાગ મહત્તમ ઉપયોગ કરે છે. સાઇબર ક્રાઇમને રોકવા સાઇબર પોલીસ સ્ટેશન સહિતનું નિર્માણની મુખ્યમંત્રીશ્રીએ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૪૧ હજાર જેટલા લોકોનો કાશ્મીરમાં આંતકવાદે ભોગ લીધો છે તેનો ઉલ્લેખ કરી કહ્યુ કે ૩૭૦ અને ૩પA કલમ નાબુદ કરી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ સમગ્ર કાશ્મીરમાં આંતકવાદને ભૂતકાળ બનાવવાનું કાર્ય કર્યું.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ચીફ મીનીસ્ટર તરીકે નહિં પરંતુ કોમનમેન તરીકે સતત કાર્યરત રહી ગુજરાતનો સર્વાંગી ક્ષેત્રે વિકાસ થાય, ભ્રષ્ટાચાર નાબુદ થાય, કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યુ હતું.
જામનગરનાં સાંસદ શ્રીમતી પુનમબેન માડમે જિલ્લાના વિકાસની રૂપરેખા આપી હતી. કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ સ્વાગત પ્રવચન અને જિલ્લા પોલીસવડાશ્રી રોહન આનંદે આભાર વીધી કરી હતી. મુખ્યદમંત્રીશ્રીનું વિવિધ સમાજના લોકોએ પરંપરાગત પાઘડી તથા અન્ય મોમેન્ટોલ આપી સ્વારગત સન્માીન કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ અને કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, જિલ્લા પ્રભારી અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, ગ્રીમ્કોના ચેરમેનશ્રી મેઘજીભાઇ કણજારીયા, પૂર્વ ધારાસભ્યશ્રી કારૂભાઇ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળીયા ખાતે નિર્મિત અદ્યતન પોલીસ ભવનની સુવિધાઓ
કાયદો અને વ્યંવસ્થાજ જાળવવા સારૂ, રાજય સરકાર દ્વારા પોલીસદળને અદ્યતન સુવિધાઓ આપવાની પ્રતિબધ્ધ તા સાથે આજે ખંભાળીયા ખાતે રૂા.૧૦.૬૫ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન જિલ્લાત પોલીસ ભવનનું મુખ્યબમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું.
આ અદ્યતન પોલીસ ભવન ત્રણ માળનું છે. જેમાં પોલીસ માટે જરૂરી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધત છે. આ ભવનમાં અધિકારીઓ /કર્મચારીઓ માટે ખાસ જીમ, લાઇબ્રેરી, રેસ્ટલરૂમ, મહિલા કર્મચારીઓ માટે રેસ્ટ.રૂમ સહિતની સુવિધા છે. પોલીસ ભવનનું બાંધકામ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રનકચરથી કરવામાં આવ્યું છે.