જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલમાં વસવાટ કરતા અન્ય રાજ્યના શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વિગેરે પોતાના વતનના રાજ્યમાં જવા માંગતા હોય તો તેમણે  પોતાના પુરા નામ,સરનામાં અને સંપર્ક નંબર સાથે ક્યાં રાજ્યમાં જવું છે. ત્યાના ગામ ,તાલુકા જીલ્લાના સરનામાં સાથે નીચે મુજબના રાજ્યવારના નોડલ અધિકારીશ્રીનો સંપર્ક સાધવાનો રહેશે.

ઓરિસ્સા રાજ્ય માટે શ્રી પી.બી.પટેલ મો.૯૧૦૬૫૪૦૭૬૪ ,ઝારખંડ અને બિહાર રાજ્ય માટે શ્રી એસ.એન.ધ્રાન્ગું મો - ૯૯૦૪૩૨૪૩૧૫ ,ઉતરાખંડ અને ઉતર પ્રદેશ માટે શ્રી વાય.ડી.શ્રી વાસ્તવ મો.૯૮૨૫૨૬૨૩૧૯, દિલ્લી,પંજાબ,હિમાચલ પ્રદેશ,હરિયાણા,જમ્મુ કાશ્મીર અને લદાખ માટે શ્રી એન.એ.પટેલ મો.૯૭૨૭૭૦૬૩૫૯ ,મધ્ય પ્રદેશ,રાજસ્થાન અને છતીસગઢ માટે શ્રી વી.એસ. ચૌહાણ મો.૯૫૮૬૫૭૧૯૭૭, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટ રાજ્યો માટે શ્રી પ્રકાશ વરણ મો.૯૪૨૮૦૭૪૧૪૪, કર્ણાટક,તેલંગાણા,આંધ્ર પ્રદેશ,તામિલનાડુ અને કેરલા માટે શ્રી બી.એચ.વાઢેર મો .૭૫૬૭૮૦૬૩૧૬, મહારાષ્ટ્ર માટે શ્રી સી.એ. ભટ્ટ મો.૮૮૬૬૮૪૧૭૮૪ મુજબ સંપર્ક સાધવાનો રહેશે. 

ઉપર મુજબના કોઈ નંબર પર સંપર્ક ના થઇ શકે કે અન્ય કોઈ મુશ્કેલી જણાય તો કલેકટર કચેરી - ખંભાળીયાના હેલ્પ લાઈન નંબર - ૦૨૮૩૩-૨૩૨૧૨૫/૨૩૨૦૮૪ પર સંપર્ક સાધવાનો રહેશે.