જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ટોલ ફ્રી નં.“૧૯૧૬” કાર્યરત છે. આ ટોલ ફ્રી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. જાહેર જનતાને આથી અનુરોધ કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગત ફરિયાદો જેવીકે, હેન્ડપંપ રિપેરિંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે.
જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેક્શન મારફતે નવીન ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.૧૯૧૬વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં અન્ય નં. ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ પર પણ ફરિયાદ નોંધાવી શકાશે તેમ કાર્યપાલક ઇજનેર જા.આ.બાંધકામ વિભાગ, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.