જામનગર મોર્નિંગ - ખંભાળિયા : ખંભાળીયા નગરપાલીકામાં વોર્ડ નં,૫ માં આ વખતે રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રાના સમર્થન સાથે વ્યંઢળ ઉમેદવાર વાસંતી દે નાયકે ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વાસંતી દે નાયક અગાઉ પણ બે ટર્મમાં ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. આ સાથે દરેક વોર્ડમાં ચાર પૈકી બે બેઠકમાં મહિલા અનામત હોય ત્યારે વાસંતી દે જીતી જાય તેવા ઉજળા સંજોગો હોય ત્યારે ભૂતકાળના અનુભવો જોતાં વોર્ડ નં. પ માંથી ટીકીટ વાંચ્છુકોએ વોર્ડમાંથી અન્ય વોર્ડમાં બદલી કરવા દોડાદોડી કરવી પડી છે. આ વોર્ડમાં વાસંતી દે ઉપરાંત તેમની સાથે પેનલમાં એક મુસ્લીમ અગ્રણીના પત્ની તેમજ એક રઘુવંશી ઉમેદવારની નટુભાઈ ગણાત્રા દ્વારા ગોઠવણ કરાઈ છે.
ખંભાળીયામાં વોર્ડ નં.૫ માં નટુભાઈ ગણાત્રાના સમર્થનથી વ્યંઢળ દ્વારા ઉમેદવારી નોંધાવતાં હલચલ મચી
Tags
દેવભૂમિ દ્વારકા
0 Comments
Post a Comment