જામનગર મોર્નિંગ - ભરૂચ તા.01 : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચની કોવીડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ આગ દુઘર્ટનામાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની જાહેરાત કરી છે.