જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના લાલપુર ગામમાં યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી ઝીંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુરમાં આવેલ રૂપાવટી નદીના કાંઠે દેવસીભાઇ પાલાભાઈ કરંગીયા (ઉ.વ. 40) (રહે. મોચી મંદીર પાસે) નામના યુવાન પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ડોકટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.