જામનગર મોર્નિંગ - ભાવનગર 

ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૩નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ કલેક્ટર, ભાવનગર પ્રાંત, ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. 

આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૬/૦૧/૨૦૨૩ સુધી રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રી તથા તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી તેમ મામલતદારશ્રી, ઘોઘાની યાદીમાં જણાવવામાં આવેલ છે.