જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

ભાવનગરમાં સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહર્ષિ અરવિંદની સાર્ધ શતાબ્દીની ઉજવણી અંતર્ગત પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

સરકારી જિલ્લા પુસ્તકાલય, જશોનાથ મંદિર પાછળ, ભાવનગર ખાતે મહર્ષિ અરવિંદ ઘોષજીના જીવન સંબંધી તસવીરોના પુસ્તકોનું પ્રદર્શન તા.  ૬ થી તા. ૮ જાન્યુઆરી સુધી યોજવામાં આવેલ છે. 

આ તકે નાયબ માહિતી નિયામક ચિંતન રાવલ, એ.ટી.ઓ. શ્રી ટી.આર મહેતા, યુવા લેખક રવિ મારુ, ઘનશ્યામભાઈ ગઢવી, ગ્રંથપાલ ડો. રવિ પરમાર અને મદદનીશ ગ્રંથપાલ વિવેક સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.