કંપની ઉમરગામ અને કપડવંજ પ્લાન્ટમાં 450 KW સોલાર રૂફટોપ એકમ સ્થાપિત કરશે

  • મુખ્ય બાબતોઃ
  • કંપની તેના વીજ વપરાશના 33% જેટલો હિસ્સો રિન્યુએબલ સોલાર પાવર દ્વારા બદલી શકશે
  • એએસી સેગમેન્ટમાં બિગબ્લોક એકમાત્ર કંપની છે જે કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે. તમામ વિસ્તરણ પૂર્ણ થયા બાદ વાર્ષિક 2.5 - 3 લાખ યુનિટ કાર્બન ક્રેડિટ જનરેટ થવાની અપેક્ષા
  • કંપની વાર્ષિક 8 લાખ ક્યુબિક મીટરની સંયુક્ત ક્ષમતા સાથે બે ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપી રહી છે.
  • તમામ વિસ્તરણ પૂર્ણ થયા પછી, બિગબ્લોક ભારતમાં એએસી બ્લોકની સૌથી મોટી ઉત્પાદક બનશે જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 13.75 લાખ ઘન મીટર હશે.

 જામનગર મોર્નિંગ - જામનગર 

કાર્બન ફૂટપ્રિન્ટ્સને શક્ય તેટલું ઓછું રાખવાની પ્રતિબદ્ધતા સાથે, એરેટેડ ઓટોક્લેવ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, ઇંટો અને પેનલ્સ સહિત ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ્સના ઉત્પાદનમાં ભારતની અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ તેનાઉમરગામ અને કપડવંજ ઉત્પાદન એકમોમાં સોલાર રૂફટોપ પ્રોજેક્ટ્સ ઊભા કરી રહી છે. કંપની દરેક પ્લાન્ટમાં 450 KW સોલાર રૂફટોપ સુવિધા સ્થાપી રહી છે. 

બંને સોલાર રૂફટોપ સુવિધાઓના કમિશન પછી, કંપની તેના બંને પ્લાન્ટમાં તેની વીજ જરૂરિયાતના આશરે 33% રિન્યુએબલ ગ્રીન એનર્જી - સોલાર પાવરથી બદલી શકશે. કંપની સોલાર રૂફટોપ પહેલ માટે આશરે રૂ. 4.5 કરોડનું રોકાણ કરશે.

આ અંગે ટિપ્પણી કરતાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે “વધતી જતી કાર્બન ફૂટપ્રિન્ટ ચિંતાનો વિષય છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવું એ તેની કામગીરીને મધ્યમથી લાંબા ગાળામાં કાર્બન ન્યુટ્રલ બનાવવા અને પર્યાવરણ પરની અસર ઘટાડવાની કંપનીના વિઝનનો એક ભાગ છે. કંપની પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ બિલ્ડીંગ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન લોન્ચ કરવા માટે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રી પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે. આ પહેલ Co2 ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડા સાથે સ્વ-ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સંસ્થા બનવા તરફનું એક પગલું છે.”

2015 માં સ્થાપિત, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એએએસી બ્લોક સ્પેસમાં વાર્ષિક 5.75 લાખ ક્યુબિક મીટર ક્ષમતા સાથે દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. ગ્રીન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ, એએસી બ્લોક્સ કિફાયતી, હળવા, સાઉન્ડપ્રૂફ, શ્રેષ્ઠ બિલ્ડ ગુણવત્તા સાથે અગ્નિ પ્રતિકારક છે અને પરંપરાગત ઇંટોની તુલનામાં ઊર્જા બચાવે છે, પર્યાવરણને અનુકૂળ અને સસ્તા પણ છે. આ સેગમેન્ટમાં તે એકમાત્ર કંપની છે જે તેની કામગીરીમાંથી કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે. નાણાંકીય વર્ષ 2022 માટે કંપનીએ રૂ. 27.7 કરોડનીએબિટા સાથે રૂ. 16 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને કુલ આવક રૂ. 175.8 કરોડ રહી હતી.

કંપની વાર્ષિક 8 લાખ ક્યુબિક મીટરની સંયુક્ત ક્ષમતા સાથે બે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ પણ ઊભા કરી રહી છે જેમાં વાડા, પાલઘર (મહારાષ્ટ્ર) ખાતે વાર્ષિક 5 લાખ ઘન મીટર પ્લાન્ટ અને થાઈલેન્ડના એસસીજી ગ્રુપસાથેના સંયુક્ત સાહસમાં ગુજરાતના અમદાવાદમાં કપડવંજ ખાતે વાર્ષિક 3 લાખ ઘન મીટરની સંયુક્ત ક્ષમતાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બંને વિસ્તરણ પૂર્ણ થયા પછી, કંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ સીબીએમ થશે જે કંપનીને દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.5 થી 3 લાખ યુનિટ કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પણ અપેક્ષા રાખે છે.