જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દ્વારકા - ભારતીય નૌકાદળના INS કરુવાએ 7 ખાલસીઓને બચાવીને ઓખા બીચ પર લાવ્યા હતા.

ઓખાથી 80 નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે માછીમારે ચેનલ નંબર 16ની મદદ લીધી હતી. જે દરમિયાન ભારતીય નૌકાદળનું INS કરુવા તેના રૂટીન પેટ્રોલિંગ પર હતું. ભારતીય નૌકાદળનું જહાજ INS કરુવા જવાનોએ ફિશિંગ બોટની અંદર એકઠું થયેલું 30 ટન પાણી દૂર કર્યું અને આ તમામ સાત ખાલસીઓને ભારતીય નૌકાદળના જહાજમાં લઈ ગયા અને ત્યારબાદ તમામ સાત ખાલસીઓને પ્રાથમિક આરોગ્ય તપાસ બાદ ગઈકાલે મંગળવારે ઓખા મરીન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જે આઈએનએસ દ્વારકાના અધિકારીઓને કિનારે સોંપવામાં આવ્યા. ત્યાર બાદ અધિકારીઓ તથા નેવીના જવાનોએ આગળની સત્તાવાર કાર્યવાહી કરીને તમામ ખાલસીઓના જીવ બચાવીને તેમની ફરજ બજાવી હતી.